________________
૨૩
સમ્યગ્દષ્ટિ જીવતો નિર્વિચિકિત્સાગણ
સમ્યગ્દષ્ટિ જીવ, માત્ર શુદ્ધાત્મામાં જ “હુંપણું કરતો હોવા છતાં પોતાને બીજા સંસારી જીવો જેવો જ અર્થાત્ કર્મોથી મલિન પણ અનુભવ કરતો હોય છે અને તેથી કરીને તે પોતાને અન્ય સંસારી જીવોથી ઊંચો માનીને તેમના પ્રત્યે ધૃણા વગેરેના ભાવો કરતો નથી, તે જ તેનો નિર્વિચિકિત્સાનુણ છે તેમ જણાવે છે. તે અન્ય સર્વે સંસારી જીવોને પણ પોતાના જેવો જ અર્થાત્ સ્વરૂપથી સિદ્ધ સમાન જ સમજે (જાણે) છે.
પંચાધ્યાયી ઉત્તરાર્ધની ગાથા :
ગાથા ૫૮૪ : અન્વયાર્થ:- “જેમ જળમાં કાંઈ (ગદલમલિનતા) રહે છે, ઠીક એ જ પ્રમાણે જ્યાં સુધી જીવમાં અશુચિરૂપ એવાં કર્યો છે ત્યાં સુધી હું (અર્થાત્ સમ્યગ્દષ્ટિ = જ્ઞાની) અને તે સર્વ સંસારી જીવો સામાન્ય રૂપથી (અર્થાત્ સમાન રીતથી) નિશ્ચયપૂર્વક કર્મોથી મલિન છે (એવો સમ્યગ્દષ્ટિનો નિર્વિચિકિત્સાગુણ).” અર્થાત્ સમ્યગ્દષ્ટિ = જ્ઞાની જીવને કોઈ પણ જીવ પ્રત્યે તુચ્છ ભાવ નથી હોતો, પરંતુ સર્વે જીવો પ્રત્યે તેમને સમભાવ = સામ્યભાવ હોય છે, તે જ સમ્યગ્દષ્ટિ જીવનો નિર્વિચિકિત્સાગુણ
તેથી કોઈ પણ પોતાને ધર્મ કહેવડાવવાવાળા જીવોએ પોતાને અન્ય જીવોથી ઉચ્ચ માનીને અન્ય જીવો સાથે તુચ્છતાપૂર્ણ (નાનાપણાનો) વ્યવહાર કરવો યોગ્ય નથી.