________________
સમ્યગ્દર્શનની રીત
નિશ્ચય સમ્યગ્દર્શનની સાચી વ્યાખ્યા આવી હોવા છતાં વ્યવહારનયના પક્ષવાળાને સમ્યગ્દર્શનની આવી સાચી વ્યાખ્યા માન્ય નથી હોતી અથવા તેઓ આવી વ્યાખ્યાનો વિરોધ કરે છે અને તેથી કરીને તેઓ સમ્યગ્દર્શન એટલે સાત/નવ તત્ત્વોની કહેવાતી (સ્વાત્માનુભૂતિ વગરની) શ્રદ્ધા અથવા સાચા દેવ-ગુરુશાસ્ત્રની કહેવાતી (સ્વાત્માનુભૂતિ વગરની) શ્રદ્ધા એટલું જ માનતાં હોઈને તેઓને સ્વાત્માનુભૂતિ વગરની શ્રદ્ધા અને સ્વાત્માનુભૂતિ સહિતની શ્રદ્ધા વચ્ચેનો ફરક ખબર હોતો નથી અથવા ખબર કરવા માગતા નથી; તેથી કરી તેઓ સમ્યગ્દર્શન કે જે ધર્મનો પાયો છે તેના વિશે જ અજાણ રહીને આખી જિંદગી ક્રિયા-ધર્મ ઉત્તમ રીતે કરવા છતાં પણ સંસારના અંત માટેનો ધર્મ પામતા નથી કે જે કરુણા ઉપજાવતી વાત છે.
ec 05