________________
સમ્યગ્દર્શનનું લક્ષણ
ભાવાર્થ :- “મિથ્યાદષ્ટિ જીવને રાગ તથા પર સાથે એકત્વબુદ્ધિ રહેવાથી પરવસ્તુમાં ઇષ્ટઅનિષ્ટપણાની કલ્પના રહ્યા કરે છે તથા તે એવા અજ્ઞાનમય રાગદ્વેષના કારણથી વસ્તુના વસ્તુપણાનો પ્રતિભાસ ન કરતાં માત્ર ઈષ્ટ-અનિષ્ટપણારૂપથી જ (અર્થાત્ માત્ર વિશેષભાવોનો જ અનુભવ કરે છે, કારણ તે પર્યાયદષ્ટિ જ હોય છે) વસ્તુનો અનુભવ કરે છે ત્યારે સમ્યગ્દષ્ટિ જીવને અજ્ઞાનમય રાગદ્વેષનો અભાવ (અર્થાત્ તેને માત્ર શુદ્ધ દ્રવ્યાયાર્થિક નયની દૃષ્ટિ હોવાથી, રાગદ્વેષ ગૌણ કરી, શુદ્ધનો જ અનુભવ કરે છે તેથી સમ્યગ્દષ્ટિ જીવને અજ્ઞાનમય રાગદ્વેષનો અભાવ) થયો હોવાથી તે પરવસ્તુમાં ઇષ્ટ-અનિષ્ટ કલ્પનાથી રહિત થઈને વસ્તુપણાનો જ અનુભવ કરે છે (માત્ર શુદ્ધાત્માનો - સામાન્યભાવનો જ અનુભવ કરે છે).”
ગાથા ૨૩૪-૨૩૭ : અન્વયાર્થ:- “એક જ્ઞાનનું જ પાત્ર હોવાથી તથા બદ્ધ-સ્કૃષ્ટાદિ ભાવોનો અપાત્ર હોવાથી (અર્થાત્ તેમાં હુંપણું નહિ હોવાથી) સમ્યગ્દષ્ટિ પોતાને પ્રત્યક્ષપૂર્વક સ્પષ્ટ પ્રકારથી વિશેષ(વિભાવભાવ)રહિત, અન્યના સંયોગરહિત, ચળાચળતારહિત તથા અન્યપણાથી રહિત (અર્થાત્
ઔદેયિક આદિ ભાવોથી રહિત) સ્વાદનો આસ્વાદ કરે છે તથા બંધરહિત, તથા અસ્પૃષ્ય, શુદ્ધ, સિદ્ધ સમાન (તેથી જ તેને દેશે સિદ્ધત્વનો અનુભવ થાય છે), શુદ્ધ સ્ફટિક સમાન, સદાય આકાશ સમાન, પરિગ્રહરહિત ઈન્દ્રિયોથી ઉપેક્ષિત અનંત જ્ઞાન-દર્શન-વીર્યમય અતિન્દ્રિય સુખાદિક અનંત સ્વાભાવિક ગુણો સહિત પોતાના આત્માનું શ્રદ્ધાન કરવાવાળો હોય છે. જો કે વાસ્તવમાં સમ્યગ્દષ્ટિ જીવ જ્ઞાનમૂર્તિવાળો છે, તો પણ પ્રસંગથી અર્થાત્ પુરુષાર્થની નિર્બળતાથી તેને અન્ય પદાર્થોની પણ ઈચ્છા થઈ જાય છે, તો પણ તેને કૃતાર્થ જેવા પરમ ઉપેક્ષાભાવ વર્તે છે.”
સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા આવા સમ્યગ્દર્શનના લક્ષણથી આપણે સારી રીતે પરિચિત છીએ. પરંતુ શુદ્ધાત્મોપલબ્ધિ અર્થાત્ શુદ્ધાત્માની અનુભૂતિ સમ્યગ્દર્શનનું લક્ષણ છે એવું જૈનસમાજના બહુ ઓછા લોકો જાણે છે અને માને છે. એટલા માટે જ આ વાત અત્યંત મહત્ત્વની છે. અને શુદ્ધાત્માની અનુભૂતિ એ લક્ષણ એવું છે કે જેની પોતાને જાણ થાય જ છે, કારણ કે જે જીવને અનુભૂતિ થાય છે તેણે ન કોઈને પૂછવું પડે છે કે ન કોઈના પ્રમાણપત્રની આવશ્યક્તા રહે છે, આવું છે સમ્યગ્દર્શનનું લક્ષણ. આગળ અમે સમ્યગ્દષ્ટિના ભોગની બાબતમાં થોડુંક જણાવવાનો પ્રયાસ કરીએ છીએ.