________________
નવ તત્ત્વની સાચી શ્રદ્ધાનું સ્વરૂપ
ગાથા ૧૬૭:- આમાં અગ્નિનું દષ્ટાંત છે. ઉપચારથી અગ્નિનો આકાર તેના બળતણ અનુસાર થવા છતાં, તે માત્ર અગ્નિ જ છે અન્ય કાંઈ પણ રૂપ નથી અર્થાત્ બળતણરૂપ નથી, આ જ વાત સમયસાર ગાથા ૬માં પણ જણાવેલ છે કે જ્ઞાન શેયરૂપ પરિણમવાં છતાં પણ તે જ્ઞાયક જ છે.
ગાથા ૧૬૮:- આમાં દર્પણનું દષ્ટાંત છે. દર્પણમાં અલગ અલગ પ્રતિબિંબ હોવા છતાં, તેને ગૌણ કરાતાં જ માત્ર સ્વચ્છ દર્પણ જ છે, વાસ્તવમાં ત્યાં અન્ય કોઈ નથી.
ગાથા ૧૬૯ :- આમાં સ્ફટિકનું દષ્ટાંત છે. તે સ્ફટિકમાં કોઈ પણ ઝાંય પડે, તેથી કરીને તે તેવા રંગનું ભાસવા છતાં, સ્વરૂપથી તે તેવા રંગનું થઈ જતું નથી; સ્વરૂપથી તે સ્વચ્છ જ રહે છે.
ગાથા ૧૭૦:- આમાં જ્ઞાનનું દ્રષ્ટાંત છે. જ્ઞાન શેયને જાણતાં શેયરૂપ થતું નથી, પણ જેવું તેમાં શેયને ગૌણ કરો, તો ત્યાં જ્ઞાયક જ હાજર છે. આ જ રીત છે સમ્યગ્દર્શનની, આ જ વાત સમયસાર શ્લોક ૨૭૧માં પણ જણાવેલ છે.
ગાથા ૧૭૧ :- આમાં સમુદ્રનું દષ્ટાંત છે. સમુદ્રની વાયુથી પ્રેરિત લહેરો ઊઠતી હોવા છતાં, તે માત્ર સમુદ્રરૂપ જ રહે છે, વાયુરૂપ થતી નથી, પરંતુ સમુદ્રરૂપ જ રહે છે.
ગાથા ૧૭ર :- આમાં નમકનું દષ્ટાંત છે. નમક રસોઈમાં અન્યરૂપ થઈ જતું નથી, છતાં અજ્ઞાની જીવ તે નમકનો સ્વાદ લઈ શકતો નથી, જ્યારે જ્ઞાની જીવ ભેદજ્ઞાનથી નમકનો સ્વાદ (શુદ્ધાત્માનો સ્વાદ) લઈ લે છે. આ જ વાતને આગળની ગાથાઓમાં દઢ કરાવે છે તે હવે જોઈશું :
ગાથા ૧૭૮ : અન્વયાર્થ:- “એ નવ પદાર્થોથી ભિન્ન સર્વથા શુદ્ધ દ્રવ્યની સિદ્ધિ થઈ શકતી નથી (માટે કોઈએ તેવા ભ્રમમાં રહેવાની જરૂર નથી કે પર્યાયથી ભિન્ન સર્વથા શુદ્ધ દ્રવ્ય ઉપલબ્ધ થશે). કારણ કે, સાધનનો અભાવ હોવાથી એ શુદ્ધ દ્રવ્યની ઉપલબ્ધિ થઈ શકતી નથી.” આ જ વાત અમે પૂર્વ જણાવેલ છે કે તે અશુદ્ધ પર્યાયો સિવાય અન્ય કોઈ દ્રવ્ય જ નથી, અત્યારે તો તે પૂર્ણ દ્રવ્ય જ તે પર્યાયરૂપમાં વ્યક્ત થઈ રહેલ છે, તે પર્યાયોથી ભિન્ન કોઈ શુદ્ધ ભાવની સિદ્ધિ થાય કઈ રીતે? અર્થાત્ જે થાય તો તે માત્ર ભ્રમમાં જ થાય, અન્યથા નહિ તે જ વાત અત્રે જણાવેલ છે.
ગાથા ૧૮૬ અન્વયાર્થ :- “તેથી શુદ્ધ તત્ત્વ (અર્થાત્ પરમ પરિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા) કાંઈ એ નવ તત્ત્વોથી વિલક્ષણ (અર્થાત્ ભિન્ન) અર્થાતરરૂપ નથી પરંતુ કેવળ નવ તત્ત્વ સંબંધી વિકારોને બાદ કરતાં (અર્થાત્ ગૌણ કરતાં) એ નવ તત્ત્વો જ શુદ્ધ છે.”
અર્થાત્ તે નવ તત્ત્વો જ પરમ પરિણામિક ભાવના બનેલા હોવાથી અર્થાત્ ધવરૂપ શુદ્ધાત્મા જ તે નવતત્ત્વરૂપ પરિણમેલ હોવાથી તે નવતત્વમાં જ છુપાયેલ છે, અર્થાત્ તે નવતત્વમાંથી અશુદ્ધિને ગૌણ કરતાં જ દષ્ટિના વિષયરૂપ શુદ્ધાત્મા હાજર જ છે.
ગાથા ૧૮૯ : અન્વયાર્થ :- “પુણ્ય અને પાપ સહિત એ સાત તત્ત્વોને જ નવ પદાર્થ કહેવામાં