SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭. નવ તત્ત્વની સાચી શ્રદ્ધાનું સ્વરૂપ પંચાધ્યાયી ઉત્તરાર્ધની ગાથાઓ : ગાથા ૧૩૩-૧૩૪-૧૩૫ :- “વાસ્તવમાં અહીં શુદ્ધ નયની અપેક્ષાએ જીવ શુદ્ધ પણ છે (અર્થાત્ એકાંતે શુદ્ધ નથી અથવા તો તેનો એક ભાગ શુદ્ધ અને એક અશુદ્ધ એવું પણ નથી પરંતુ અપેક્ષાએ જીવ શુદ્ધ પણ છે) તથા કથંચિત્ બદ્ધાબદ્ધય એટલે વ્યવહારનયથી જીવ અશુદ્ધ છે એ પણ અસિદ્ધ નથી (અર્થાત્ વ્યવહારનયથી જીવ અશુદ્ધ છે). સંપૂર્ણ શુદ્ધનય એક, અભેદ અને નિર્વિકલ્પ છે તથા વ્યવહારનય અનેક, ભેદરૂપ અને સવિકલ્પ છે. એ શુદ્ધનયનો વિષય ચેતનાત્મક શુદ્ધ જીવ વાચ્ય છે અને વ્યવહારનયના વિષયરૂપ તે જીવ આદિ નવ પદાર્થો કહેવામાં આવ્યા છે.” આપણે શરૂઆતમાં જ જે સમજ્યા કે વસ્તુ એક અભેદ છે અને તેને જોવાની દષ્ટિ અનુસાર તે જ વસ્તુ શુદ્ધ અથવા અશુદ્ધ, અભેદ અથવા ભેદરૂપ જણાય છે, તે જ વાત અત્રે સિદ્ધ કરેલ છે. હવે સમયસાર ગાથા ૧૩ના જે ભાવ છે કે, “નવ તત્ત્વમાં છુપાયેલી આત્મ(-ચૈતન્ય) જ્યોતિ તે જ ભાવ વ્યક્ત કરે છે. ગાથા ૧૫૫ : અન્વયાર્થી :- “અર્થાત્ એક જીવ જ જીવ-અછવાદિક નવ પદાર્થરૂપ થઈને વિરાજમાન છે અને એ નવ પદાર્થની અવસ્થાઓમાં પણ જો વિશેષ અવસ્થાઓની વિવક્ષા ન કરવામાં આવે, તો (અર્થાત્ વિશેષરૂપ વિભાવ ભાવોને જો ગૌણ કરવામાં આવે તો) કેવળ શુદ્ધ જીવ જ છે (કેવળ પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા જ છે અર્થાત્ તે કેવળ કારણ શુદ્ધપર્યાયરૂપ દષ્ટિનો વિષય જ છે અર્થાત્ તે વિશેષ અવસ્થાઓ – પર્યાયો પરમ પારિણામિક ભાવની જ બનેલ છે એ જ વાત સિદ્ધ થાય છે).” ગાથા ૧૬૦-૧૬૩ અન્વયાર્થ :- “સોપક્તિથી ઉપાધિસહિત સુવર્ણ ત્યાજ્ય નથી, કારણ કે તેનો ત્યાગ કરતાં સર્વ શૂન્યતાદિ દોષોનો પ્રસંગ આવે છે (તે જ રીતે જો અશુદ્ધરૂપ પરિણમેલ જીવ અર્થાત્ અશુદ્ધ પર્યાયનો જો ત્યાગ કરવામાં આવે તો ત્યાં પૂર્ણ દ્રવ્યનો જ ત્યાગ થઈ જતાં, સર્વશૂન્યતાદિનો દોષ આવશે અર્થાત્ તે અશુદ્ધ પર્યાયમાં જ પરમ પરિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા છુપાયેલ હોવાથી જો તે અશુદ્ધ પર્યાયનો ત્યાગ કરશો, તો પૂર્ણ દ્રવ્યનો જ લોપ થઈ જશે અને તેથી તે અશુદ્ધ પર્યાયનો ત્યાગ ન કરતાં, માત્ર અશુદ્ધિને જ ગૌણ કરવી અને તેમ કરતાં જ પરમ પરિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા કે જે દષ્ટિનો વિષય
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy