________________
સમ્યગ્દર્શનની રીત
૧૬ સ્વભાવપર્યાય અને વિભાવપર્યાય
અમે જે પૂર્વે જણાવ્યું કે સ્વભાવ પર્યાય અને વિભાવપર્યાય તેમ બે પર્યાય અપેક્ષાએ કહેવાય છે, અર્થાત્ બંને એક જ પર્યાય (વસ્તુ, દ્રવ્ય)નું અનુક્રમે સામાન્યરૂપ અને વિશેષરૂપ છે, પરંતુ એમ નથી કે સ્વાભાવિક શક્તિ અને વૈભાવિક શક્તિ એક જ કાળમાં હોય છે. કારણ કે તેમ માનતાં બન્ને પર્યાય વિશેષરૂપ થઈ જતાં, એક દ્રવ્યની એક કાળમાં બે પર્યાયનો પ્રસંગ આવશે અને કાર્યકારણભાવના નાશનો પ્રસંગ આવશે કે જેથી બંધ મોક્ષના અભાવનો પ્રસંગ આવશે, તે જ હવે આગળ જણાવે છે.
પંચાધ્યાયી ઉત્તરાર્ધની ગાથા ગાથા ૯૨ : અન્વયાર્થ:- “એ સ્વાભાવિકી અને વૈભાવિકી શક્તિનો એક કાળમાં સદ્ભાવ માનતાં ન્યાયથી પણ ઘણો મોટો દોષ આવશે, કારણ કે યુગપત્ સ્વાભાવિક અને વૈભાવિક ભાવને માનવાથી કાર્યકારણભાવનો નાશ તથા બંધ-મોક્ષના નાશ થવાનો પ્રસંગ આવે છે.”
ભાવાર્થ :- “વૈભાવિકી શક્તિની વિભાવ અને સ્વભાવરૂપ બે અવસ્થા માનવાથી બંધ અને મોક્ષની વ્યવસ્થા સિદ્ધ થઈ જાય છે તથા એ વિભાવ અને સ્વભાવ અવસ્થાઓ ક્રમવર્તી છે, તેથી બંધ અને મોક્ષનાં કાર્ય-કારણ ભાવો જુદા જુદા છે એમ પણ સિદ્ધ થાય છે. પરંતુ બંને શક્તિઓને યુગપ માનવાથી ન તો કાર્ય-કારણભાવ બની શકશે તથા ન તો બંધ-મોક્ષની વ્યવસ્થા જ બની શકશે.”
આપણે જે પૂર્વે જોઈ ગયા છીએ, તે જ અત્રે જણાવેલ છે કે જો છમસ્થ જીવમાં સ્વભાવપર્યાય અને વિભાવપર્યાય એવા બે પર્યાય માનવામાં આવે તો જે કાર્ય-કારણરૂપ વ્યવસ્થા છે તે સિદ્ધ જ નહિ થાય અર્થાત્ જે આત્મામાં પ્રત્યેક પ્રદેશ કર્યો છે અને તેના નિમિત્તે તે અશુદ્ધરૂપ પરિણમે છે તેવો કાર્યકારણભાવ અને તે કર્મોનો અભાવ થતાં જ તે જીવ શુદ્ધરૂપે પરિણમે છે તેવાં બંધ અને મોક્ષ પણ સિદ્ધ નહિ થાય. તેથી છદ્મસ્થ જીવમાં વિશેષરૂપ વિભાવપરિણમન અને સામાન્યરૂપ સ્વભાવપરિણમન જ માનવું યોગ્ય છે કે જે સામાન્યરૂપ સ્વભાવપરિણમન ના બળે તે જીવ કર્મોના નિમિત્તે થતાં ભાવમાં હુંપણાં થી છુટી અર્થાત્ તેમાં હુંપણું નહિ કરતાં, માત્ર પરમ પરિણામિક ભાવમાં જ “હુંપણું કરે છે અને તે વિભાવરૂપ ભાવોને ક્ષણિક અને હેયરૂપ માની કર્મોના નાશ માટેની શક્તિ મેળવે છે અને આગળ તેવો જ પુરુષાર્થ ફરી ફરી કરીને સર્વ કર્મોનો નાશ કરીને, તેવાં ભાવોથી સર્વથા, સર્વકાળ માટે મુકાય છે, મુક્ત થાય છે; તે જ મોક્ષ છે.