________________
પર્યાય પરમ પારિવામિક ભાવનો જ બનેલ છે
પર્યાયને દેયિકી પણ કહેવાય છે (આ જ વાત પૂર્વે અમે જણાવેલ કે ઓયિકીભાવરૂપ પર્યાય ખરેખર પારિણામિક ભાવનો જ બનેલ છે કે જે તેનો સામાન્યભાવ કહેવાય છે), પરંતુ તેથી કાંઈ એમ ન સમજવું કે જીવમાં પરનો કોઈ પણ ગુણ આવી જાય છે.
બીજું જે ભાવ (વિભાવભાવ) જીવમાંથી નીકળી જવા યોગ્ય હોય તે પોતાનું સ્વરૂપ નહિ હોવાથી નિશ્ચયનયે તે પોતાના નથી તેને પરભાવ, પરગુણાકાર વગેરે નામથી ઓળખવામાં આવે છે. આ અપેક્ષાએ જીવના વિકારીભાવને નિશ્ચયનયથી પુદ્ગલપરિણામ કહેવામાં આવે છે, કારણ કે તે જીવનો સ્વભાવ નથી અને પુલના સંબંધથી થાય છે તેથી એ વિકારભાવ નિશ્ચયબંધ છે. એ વિકારી પરિણામિકી ક્રિયા થતાં પોતાના ગુણથી ચુત થવું તે અશુદ્ધતા છે.”
અર્થાત્ જે જીવનો પરમ પારિણામિક ભાવ છે અર્થાત્ જે જીવનું સહજ પરિણમન છે તે જ પરલક્ષે અશુદ્ધતારૂપ પરિણમીને નિશ્ચયબંધરૂપ થાય છે અને તેથી જ તે અશુદ્ધતાને ગૌણ કરતાં જ પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા કે જે સમ્યગ્દર્શનનો વિષય છે તે હાજર જ હોય છે અને તે જ અપેક્ષાએ સમયસાર ગાથા ૧૩માં પણ જણાવ્યું છે કે, “નવતત્ત્વમાં છુપાયેલ આત્મજ્યોતિ” અર્થાત્ તે નવતત્ત્વરૂપ જે જીવનું પરિણમન છે (પર્યાય છે, તેમાંથી અશુદ્ધિઓને ગૌણ કરતાં જ જે શેષ રહે છે તે જ પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા છે, તે જ કારણશુદ્ધપર્યાય છે, તે જ દષ્ટિનો વિષય છે.