SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યાય પરમપારિણામિકભાવની જ બનેલ છે That means, T = pure awareness =પરમ પારિણામિક ભાવ = જ્ઞાયકભાવ am getting manifested as all the feelings like pain, happiness, etc. and as knowledge, memory, etc. = યિકાદિ સર્વવિશેષભાવbut T shall be aware of myself and restrain myself from ૬૭ being getting involved in sins, lust, anger, ego, deceit, cruelty, fear, possessiveness, etc. for saving myself of bondage, unlimited pain and sufferings. ગાથા ૬૩-૬૪ : અન્વયાર્થ :- ‘‘શંકાકાર કહે છે કે, જો અનાદિ સત્માં વૈભાવિકી ક્રિયા (અર્થાત્ વિભાવભાવરૂપ ઔદૈયિકભાવ) પણ પરિણમનશીલતાથી થાય છે (અર્થાત્ તે ભાવ પણ પારિણામિક ભાવ જ હોય છે), તો નિશ્ચયથી તેમાં સ્વાભાવિકી ક્રિયાથી (અર્થાત્ પરમ પારિણામિક ભાવથી) વિશેષતા રાખવાવાળો કયો વિશેષ ભેદ રહેશે ? તથા પદાર્થોને જાણવાવાળું જ્ઞાન આત્માનું સ્વલક્ષણ છે તેથી તે જ્ઞાનની આ જ્ઞેયના આકારે થવારૂપ ક્રિયા કેવી રીતે વૈભાવિકી ક્રિયા થઈ શકે છે ?’’ આ જ વાત સમયસાર ગાથા ૬માં પણ કર્તા કર્મનું અનન્યપણું જણાવીને સમજાવેલ છે, ત્યાં એમ સમજવું કે કર્મ (જ્ઞેયાકાર = ચાર ભાવ = પર્યાય = વિશેષભાવ), કર્તા (સામાન્ય ભાવ = પરમ પારિણામિક ભાવ = જ્ઞાયકભાવ)ના જ બનેલ હોવાથી કર્તા કર્મનું અનન્યપણું જણાવેલ છે અને બીજું સમયસાર ગાથા ૬માં જાણવાવાળો તે હું અર્થાત્ આત્મા જ્યારે પરને જાણે છે ત્યારે તે જે જ્ઞેયાકાર છે તે ખરેખર જ્ઞાનાકાર જ છે અને તે જ્ઞાનાકારમાં પણ જ્યારે આકારરૂપ વિકલ્પને ગૌણ કરવામાં આવે, તો તે જ્ઞાયક જ છે અર્થાત્ તે જ ‘પરમ પારિણામિક ભાવ’’છે, ‘‘કારણશુદ્ધપર્યાય’' છે, તે જ વાત અત્રે દઢ થાય છે. તે જ વાત સમયસાર ગાથા ૧૩માં પણ જણાવેલ છે. તેમાં દૃષ્ટિનો વિષય ‘નવ તત્ત્વમાં (પર્યાયમાં) છુપાયેલ આત્મજ્યોતિરૂપ કહ્યો છે.’ અર્થાત્ અવ્યક્ત વ્યક્તમાં જ છુપાયેલ છે અર્થાત્ વ્યક્ત અવ્યક્તનું જ બનેલ છે છતાં કહેવાય એમ જ કે વ્યક્તને અવ્યક્ત સ્પર્શતું જ નથી, આ જ ખૂબી છે જૈનશાસનના નયચક્રની અને આ જ અપેક્ષાએ અવ્યક્તના બોલ સમજવાં જરૂરી છે, અન્યથા નહિ અર્થાત્ એકાંતે નહિ, કારણ કે એકાંત તો અનંત પરાવર્તનનું કારણ થવા સક્ષમ છે. તેથી અમે જ્યારે પ્રશ્ન કરીએ કે તે પર્યાય શેનો બનેલો છે ? અને ઉત્તરમાં અમે જણાવીએ છીએ કે ‘પરમ પારિણામિક ભાવનો’’ અર્થાત્ જે પર્યાય છે તે દ્રવ્યનો જ (અર્થાત્ ધ્રુવનો જ, પરમ પારિણામિક ભાવનો જ) બનેલ છે કે જેના વિશે અમે પૂર્વે અનેક આધારો સહિત સમજાવેલ જ છે, તે જ વાત અત્રે દૃઢ થાય છે. આ જ વાત સમયસાર શ્લોક ૨૭૧માં પણ જણાવેલ છે. શ્લોકાર્થ :- “જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે જ્ઞેયોના જ્ઞાનમાત્ર જ ન જાણવો, (પરંતુ) જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના શ્ર્લોલરૂપે પરિણમતો તે જ્ઞાન-જ્ઞેય-જ્ઞાતામય વસ્તુમાત્ર જાણવો.’’ અર્થાત્ જ્ઞેય છે તે જ્ઞાનમય છે, જ્ઞાન છે તે જ્ઞાતામય છે અને તે જ્ઞાતા-જ્ઞાન-જ્ઞેયની એકરૂપતાથી સાબિત થાય છે કે પર્યાય (જ્ઞેય) જ્ઞાતા(પરમ પારિણામિક ભાવ)ની
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy