SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનનું સ્વરૂપ ઉપર જણાવેલ ગાથાઓના સંદર્ભમાં વિચારીશું તો લાગશે કે દેખીતી રીતે તો સંસારી જીવો શરીરસ્થ છે અને સિદ્ધના જીવો મુક્ત છે, તો સંસારીને સિદ્ધ જેવા કહ્યાં, તે કઈ અપેક્ષાએ ? ૫૩ ઉત્તર :- તે શુદ્ધ દ્રવ્યાયાર્થિક નયની અપેક્ષાએ, જેમ કે સંસારી જીવો શરીરસ્થ હોવા છતાં, તેમનો આત્મા એક જીવત્વરૂપ પારિણામિક ભાવરૂપ હોય છે. તે જીવત્વરૂપ ભાવ છદ્મસ્થને (અશુદ્ધ દ્રવ્યાયાર્થિક નયે કરી) અશુદ્ધ હોય છે અને તે અશુદ્ધ જીવત્વ ભાવ અર્થાત્ અશુદ્ધરૂપે પરિણમેલ આત્મામાંથી અશુદ્ધિને (વિભાવભાવને) ગૌણ કરતાં જ, · જીવત્વરૂપ ભાવ શેષ રહે છે તેને જ ‘પરમ પારિણામિક ભાવ’, ‘શુદ્ધ ભાવ’, ‘શુદ્ધાત્મા’, ‘કારણપરમાત્મા’, ‘કારણશુદ્ધપર્યાય’, ‘સિદ્ધસદશભાવ’, ‘સ્વભાવભાવ’ વગેરે અનેક નામોથી ઓળખાય છે અને તે ભાવની અપેક્ષાએ જ સર્વ જીવો સ્વભાવથી સિદ્ધ સમાન જ છે એમ કહેવાય છે. હવે આપણે તે જ વાત દૃષ્ટાંતથી જોઈશું. જેમ ડહોળાં પાણીમાં શુદ્ધ પાણી છુપાયેલ છે એવા નિશ્ચયથી જે કોઈ તેમાં ફટકડી (કતકફળ = Alum) ફેરવે છે, તો અમુક સમય બાદ તેમાં (પાણીમાં) રહેલ ડહોળરૂપ માટી તળિયે બેસી જવાથી, પૂર્વનું ડહોળું પાણી સ્વચ્છરૂપ જણાય છે. તેવી જ રીતે, જે અશુદ્ધરૂપ (રાગ-દ્વેષરૂપ) પરિણમેલ આત્મા છે, તેમાં વિભાવરૂપ અશુદ્ધ ભાવને પ્રજ્ઞાછીણીથી = બુદ્ધિપૂર્વક ગૌણ કરતાં જ જે શુદ્ધાત્મા ધ્યાનમાં આવે છે અર્થાત્ જ્ઞાનમાં વિકલ્પરૂપે આવે છે, તેને ભાવભાસન કહે છે અને તે શુદ્ધાત્માની અનુભૂતિ થતાં જ જીવને સમ્યગ્દર્શન થાય છે અર્થાત્ તે જીવ તે શુદ્ધ આત્મરૂપમાં (સ્વભાવમાં = સ્વરૂપમાં) ‘હુંપણું’ કરતાં , કે જે પહેલા શરીરમાં ‘હુંપણું’ કરતો હતો, તે જીવને સમ્યગ્દર્શન થાય છે. આ રીત છે સમ્યગ્દર્શનની અર્થાત્ ‘જે જીવ રાગ-દ્વેષરૂપ પરિણમેલ હોવાં છતાં પણ માત્ર શુદ્ધાત્મામાં જ (દ્રવ્યાત્મામાં જ = સ્વભાવમાં જ) ‘હુંપણું’ (એકત્વ) કરે છે અને તેનો જ અનુભવ કરે છે, તે જ જીવ સમ્યગ્દષ્ટિ છે અર્થાત્ તે જ સમ્યગ્દર્શનની રીત છે.’ જ, બીજું દૃષ્ટાંત : જેમ દર્પણમાં (અરીસામાં) અલગ અલગ જાતનાં અનેક પ્રતિબિંબો હોય છે, પરંતુ તે પ્રતિબિંબોને ગૌણ કરતાં જ સ્વચ્છ દર્પણ દષ્ટિમાં આવે છે, તેવી જ રીતે આત્મામાં અર્થાત્ જ્ઞાનમાં જે જ્ઞેય હોય છે તે જ્ઞેયોને ગૌણ કરતાં જ નિર્વિકલ્પરૂપ જ્ઞાનનો અર્થાત્ ‘શુદ્ધાત્મા’નો અનુભવ થાય છે; આ જ સમ્યગ્દર્શનની રીત છે. આ જ રીતથી અશુદ્ધ આત્મામાં પણ સિદ્ધ સમાન શુદ્ધાત્માનો નિર્ણય કરવો અને તેમાં જ ‘હુંપણું' કરતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. કોઈ એવું માનતાં હોય કે દ્રવ્યમાં શુદ્ધ ભાગ અને અશુદ્ધ ભાગ એવા બે ભાગ છે અને જે શુદ્ધ ભાગ છે તે દ્રવ્ય છે અને અશુદ્ધ ભાગ છે તે પર્યાય છે, તો દ્રવ્યમાં અપેક્ષાએ સમજતાં બે ભાગ નહીં પરંતુ બે ભાવ છે કે જે વાત અમે પ્રથમ જ શાસ્ત્રની ગાથાઓથી નિઃસંદેહ સાબિત કરેલ જ છે. તે બે ભાવ એવી રીતે છે કે જે વિશેષ છે, તે પર્યાય કહેવાય છે કે જે વિભાવભાવ સહિત હોવાથી અશુદ્ધ કહેવાય છે અને જ
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy