________________
પંચાધ્યાયી પૂર્વાર્ધની વસ્તુવ્યવસ્થા દર્શાવતી ગાથાઓ
૪૯
સમયે અહીં નિશ્ચયથી કેવળ પરિણામ દષ્ટિગત થાય છે, વસ્તુ (ધ્રુવ = દ્રવ્ય) દષ્ટિગત થતી નથી તે સમયે પર્યાયાર્થિક નયની અપેક્ષાએ નવિન પર્યાયની ઉત્પતિ તથા પૂર્વ પર્યાયનો અભાવ થવાથી સંપૂર્ણ વસ્તુ જ અનિત્ય છે (અર્થાત્ પર્યાયરૂપ છે).”
તેથી સમજવાનું એ છે કે જે પર્યાયાર્થિક નયના વિષયરૂપ પર્યાય છે, તેમાં જ દ્રવ્ય અંતર્ગત = ગર્ભિત થઈ જવાથી તે પર્યાય તેદ્રવ્યનો જ બનેલ છે તેમ કહી શકાય છે, અને તે જ દ્રવ્ય જો શુદ્ધનયે કરી શુદ્ધ જોવામાં આવે તો તે જ પંચમભાવ અર્થાત્ પરમ પારિણામિક ભાવ છે. આથી કોઈને પ્રશ્ન થાય કે સમયસાર ગાથા ૧૩ માં જણાવેલ છે કે “નવ પદાર્થમાં (તત્ત્વમાં) છુપાયેલ આત્માજ્યોતિ તે શું છે? તો તેનો ઉત્તર છે કે, તે શુદ્ધ ન કરી પરમ પરિણામિક ભાવ જ છે, આ વાત આગળ આપણે વિસ્તારથી સમજીશું.
ગાથા ૪૧૧ : અન્વયાર્થ :- “નિશ્ચયથી અભિન્ન પ્રદેશ હોવાથી કથંચિત્ સત્ (ધ્રુવ = દ્રવ્ય) અને પરિણામમાં અદ્વૈતતા છે તથા દીપક અને પ્રકાશની માફક સંજ્ઞા-લક્ષાદિ દ્વારા ભેદ હોવાથી સત્ અને પરિણામમાં ઢંત પણ છે.” અર્થાત્ દ્રવ્ય અને પર્યાય તે બન્ને અભિન્ન પ્રદેશી હોવાથી અભેદરૂપ છે અને લક્ષણ દ્વારા ભેદ પાડી શકાતા હોવાથી – ભેદરૂપ વ્યવહાર થતો હોવાથી ભેદરૂપ પણ છે, તેથી કથંચિત્ ભેદઅભેદરૂપ કહેવાય છે.
ગાથા ૪૧૨ : અન્વયાર્થ :- “અથવા સત્ અને પરિણામની દ્વૈતતા જળ અને તેના તરંગોની માફક અભિન્ન તથા ભિન્ન પણ છે, કારણ કે, જળ તથા કલ્લોલોમાંથી જે સમયે કલ્લોલો અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે તે સમયે કલ્લોલો ઉદય થાય છે તથા વિલીન થાય છે, તેથી એ જળથી કથંચિત્ ભિન્ન છે તથા જે સમયે જળની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે તે સમયે એ કલ્લોલો ઉદયમાન તથા વિલયમાન જ થતા નથી, પણ કેવળ જળ જ જળ પ્રતીતિમાન થાય છે, તેથી એ જળથી કથંચિત્ અભિન્ન પણ છે. એ પ્રમાણે સત્ (ધ્રુવ) અને પરિણામ પણ કથંચિત્ ભિન્ન તથા કથંચિત્ અભિન્ન છે.” આ જ રીત છે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની પ્રાપ્તિની, અન્યથા નહિ; કારણ કે અન્યથા માનતાં મિથ્યાત્વનો દોષ આવે છે. હવે આગળ ઘટ અને કૃતિકાનું દષ્ટાંત જણાવે છે. -
ગાથા ૪૧૩ : અન્વયાર્થ:- “અથવા ઘટ અને કૃતિકાના દ્વૈતના માર્ક એ સત્ અને પરિણામનું દ્વૈત, દ્વત હોવા છતાં પણ અદ્વૈત છે; કારણ કે, કેવળ માટીપણાના રૂપથી નિત્ય છે તથા કેવળ ઘટપણાના રૂપથી અનિત્ય છે.”
ગાથા ૪૧૪ : અન્વયાર્થ :- “સારાંશ એ છે કે, સના વિષયમાં પ્રત્યભિજ્ઞાન પ્રમાણ પ્રાપ્ત હોવાથી સત્ નિત્ય છે, જેમ કે “આ તે જ છે તથા નિયમથી “આ તે નથી” એ પ્રતીતિથી સત્ નિત્ય નથી અર્થાત્ અનિત્ય છે.”