________________
પંચાધ્યાયી પૂર્વાર્ધની વસ્તુવ્યવસ્થા દર્શાવતી ગાથાઓ
ત્રણે થાય છે.”
અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ દ્રવ્ય કહ્યું છે તે પૂર્ણ અભેદ છે અને તે અભેદરૂપ જ પરિણમે છે અને તે પૂર્ણ દ્રવ્ય જ ઉત્પાદાદિક રૂપ થાય છે, તેમાં કોઈ અંશરૂપ વિભાગો નથી, તે માત્ર અપેક્ષાએ કહેવાય
ગાથા ર૨૯ : ભાવાર્થ :- “શંકાકારનું કહેવું એમ છે કે, શબ્દ વા અર્થદષ્ટિએ ઉત્પાદાદિ એક પદાર્થમાં બની શકે છે તેમ ધ્રૌવ્ય અને ઉત્પાદ-વ્યય કોઈ એક પદાર્થમાં સિદ્ધ થઈ શકતા નથી, કારણ કે ઉત્પાદ-વ્યય અનિત્યપણાના સાધક છે તથા ધ્રૌવ્ય નિત્યપણાનો સાધક છે, તેથી ધ્રૌવ્ય અને ઉત્પાદવ્યય એ બંને પરસ્પર વિરોધી હોવાથી તેને એક પદાર્થના માનવા એ પ્રત્યક્ષબાધિત છે.” તેનું સમાધાન –
ગાથા ર૩૦-૩૧ : અન્વયાર્થ:- “(ધ્રૌવ્ય અને ઉત્પાદ-વ્યય પરસ્પર વિરોધી છે તે વાત) ઠીક છે, પરંતુ જે નિશ્ચયથી એ ત્રણેને ક્ષણભેદ અર્થાત્ ભિન્ન ભિન્ન સમય હોય તો અથવા નિશ્ચયથી સત્ પોતે જ નાશ પામતું હોત (અર્થાત્ સત્ પરિવર્તિત ન થતાં નાશ પામતું હોત) તથા સત્ પોતે જ ઉત્પન્ન થતું હોત (અર્થાત્ સત્ પરિવર્તિત ન થતાં નાશ થઈ નવું ઉત્પન્ન થતું હોત), તો પરસ્પર વિરુદ્ધ કથન થાત. પરંતુ એ ઉત્પાદાદિક ત્રણેનો ક્ષણભેદ અથવા સ્વયં સનું જ નાશ પામવું કે ઉત્પન્ન થવું તે કોઈ પણ ઠેકાણે કોઈ હેતુથી કંઈ પણ, કોઈનું પણ, કોઈ પણ પ્રકારથી થતું નથી, કારણ કે આ ઠેકાણે તેનું દષ્ટાંત પણ નહિ મળવાથી, તેના સાધક પ્રમાણનો અભાવ છે.”
ગાથા ર૩૮ : અન્વયાર્થ:- “ચાયબળથી એ સિદ્ધ થયું કે એ ત્રણે (ઉત્પાદ-વ્યય-ધ્રુવ) એક કાળવર્તી છે, કારણ કે જે વૃક્ષપણું છે તે જ અંકુરરૂપથી ઉત્પન્ન અને બીજરૂપથી નષ્ટ થવાવાળું છે.”
અર્થાત્ પૂર્ણ દ્રવ્ય જ એક પર્યાયથી નષ્ટ થઈ બીજા પર્યાયરૂપમાં પરિવર્તિત થતું રહે છે અને તેથી જ તેને ધ્રુવ કહેવાય છે. જ્યારે પૂર્વ પર્યાયને વ્યયરૂપ અને વર્તમાન પર્યાયને ઉત્પાદરૂપ કહેવાય છે. અર્થાત્ તે દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ કોઈ અલગ અંશ નથી માત્ર વસ્તુ-વ્યવસ્થા સમજાવવા માટે ભેદ પાડીને જણાવેલ છે કે, જે કોઈ દ્રવ્ય છે તે દ્રવે છે, અર્થાત્ પરિણમે છે, અર્થાત્ પરિવર્તિત થતું રહે છે, અને તે પરિવર્તિત થતાં દ્રવ્યને ધ્રુવ કહેવાય છે જ્યારે એનાં પરિણામને - અવસ્થાને પર્યાય (ઉત્પાદ-વ્યય)રૂપ કહેવાય છે.
ગાથા ૨૪૩: અન્વયાર્થ :- “પ્રકૃત કથનમાં એમ માનવામાં આવ્યું છે કે, સને કોઈ અન્ય (પૂર્વ) પર્યાયથી વિનાશ તથા કોઈ અન્ય (વર્તમાન) પર્યાયથી ઉત્પાદ તથા એ બંનેથી ભિન્ન કોઈ સદશ પર્યાયથી (દ્રવ્ય સામાન્યરૂપ કે જેના બન્ને પર્યાયો બનેલા છે અને જે સામાન્યરૂપ હોવાથી એવું ને એવું જ ઊપજે છે તેથી તેને સદેશ-પર્યાયરૂપ = પરમ પરિણામિક ભાવરૂપ કહેવાય છે) ધ્રૌવ્ય હોય છે. હવે આનું જ ઉદાહરણ જણાવે છે :