________________
સમ્યગ્દર્શનની રીત
પણ અગુરુ લઘુ ગુણના નિમિત્તથી તેમાં ભૂત્વા-ભવનરૂપ પરિણમન થતું રહે છે (અત્રે શંકાકાર ધ્રૌવ્યને/ ગુણને અપરિણામી માને છે – તેને અગુરુ લઘુ ગુણના નિમિત્તથી પર્યાય માને છે અને તેમાંથી પર્યાય નીકળે છે કે જે ધ્રૌવ્યથી/ગુણથી ભિન્ન છે એવું માને છે), તો આ આપત્તિ આવશે કે ગુણ પોતાના અંશોથી કમ (ઓછા) થતાં દુર્બળ અને પોતાના અંશોથી વધતાં બળવાન શું નહિ થાય ?
તેનું સમાધાન - શંકાકારનું ઉપર પ્રમાણે કહેવું ઠીક નથી, કારણ કે અમે પહેલાં જ સ્વતઃસિદ્ધ દ્રવ્યને સારી રીતે પરિણામી સિદ્ધ કર્યું છે, અર્થાત્ દ્રવ્ય સ્વતઃસિદ્ધ હોવાથી કથંચિત્ નિત્ય-અનિત્યાત્મક દ્રવ્યમાં જ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય ઘટી શકે છે (અર્થાત્ દ્રવ્ય પોતે જ પર્યાયરૂપે પરિણમે છે અને તેથી પર્યાય દ્રવ્યનો જ બનેલ છે અને દ્રવ્ય પર્યાયમાં જ છુપાયેલું છે. અર્થાત્ પર્યાયરૂપ વિશેષ ભાવને ગૌણ કરતાં જ સામાન્ય રૂપ દ્રવ્ય અનુભવાય છે), પણ સર્વથા નિત્ય વા અનિત્ય પદાર્થમાં નહિ.
સારાંશ એ છે કે આકારથી આકારાન્તરરૂપ થવાથી ઉત્પાદ, વ્યયની અને વસ્તુતાએ (સામાન્ય ભાવ અપેક્ષાએ) તવસ્થરૂપ હોવાથી ધ્રોવ્યાંશની (સામાન્ય ભાવની) સિદ્ધિ થાય છે. તેથી ઉક્ત પ્રકારથી (આવી રીતે) દ્રવ્યને કથંચિત્ નિત્યાનિત્યામક માનવાથી ઉત્પાદાદિત્રયની તથા કાર્ય-કારણ ભાવની સિદ્ધિ નહિ થાય એવી શંકા નિરર્થક છે. અહીં દષ્ટાંત-”
ગાથા ૧૯૬ અન્વયાર્થ :- “જેમ સોનાના અસ્તિત્વમાં જ કુંડલાદિક અવસ્થાઓ ઉત્પન્ન થાય છે, અને એ કુંડલાદિક અવસ્થાઓ થવાથી જ નિયમથી ઉત્પાદાદિક ત્રણે સિદ્ધ થાય છે. અર્થાત્ દ્રવ્યને પરિણામી માનવાથી જ ઉત્પાદ, વ્યય, ધૃવરૂપ વ્યવસ્થા શક્ય છે, અન્યથા નહિ; આવી છે જૈન સિદ્ધાંતની વસ્તુવ્યવસ્થા.
ભાવાર્થ : - “જેમ સુવર્ણના અસ્તિત્વમાં જ તેની કુંડલ-કંકણાદિ અવસ્થાઓ સિદ્ધ થાય છે. કારણ કે એ અવસ્થાઓના હોવાથી જ સુવર્ણમાં ઉત્પાદિક થાય છે, અર્થાત્ સુવર્ણનું સુવર્ણપણે દ્રવ્યદષ્ટિએ તટ્વસ્થ રહેવા છતાં પણ પર્યાયાર્થિક દષ્ટિએ કુંડલ-કંકણાદિના જ ઉત્પાદાદિક થાય છે, પરંતુ જો વાસ્તવિક વિચાર કરવામાં આવે તો એ કુંડલાદિક અવસ્થાઓમાં માત્ર આકારથી આકારમંતર જ છે પણ અસત્ની ઉત્પત્તિ કે સત્નો વિનાશ નથી. એટલે શંકાકારનું કથંચિત્ નિત્યાનિત્યાત્મક પદાર્થમાં ઉત્પાદાદિક નહિ બને' એ કહેવું યુક્તિસંગત નથી. વળી કાર્ય-કારણભાવ પણ નીચે પ્રમાણે સિદ્ધ થાય છે –”
ગાથા ૧૯૭: અન્વયાર્થ :- “એ પ્રક્રિયા અર્થાત્ શૈલીથી જ, નિશ્ચયથી કારણ અને કાર્યની સિદ્ધિ પણ સમજી લેવી જોઈએ. કારણ કે એ સત્ના જ સત્ અર્થાત્ બ્રૌવ્ય તથા ઉત્પાદ અને વ્યય એ બંને થાય છે.”
ભાવાર્થ :- “જેવી રીતે કથંચિત્ નિત્ય-અનિત્યાત્મક પદાર્થોમાં જ ઉત્પાદાદિક ત્રય થાય છે પણ સર્વથા નિત્ય કે સર્વથા અનિત્ય પદાર્થોમાં થઈ શકતા નથી એમ સિદ્ધ કર્યું, તેવી રીતે જ પદાર્થોને નિત્ય