SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાધ્યાયી પૂર્વાર્ધની વસ્તુવ્યવસ્થા દર્શાવતી ગાથાઓ લીધેલ છે, કોઈ બીજી રીતે અર્થાત્ અપરિણામી વગેરે રૂપ નહિ. બીજું અત્રે કોઈ એમ સમજે કે આવી તો પુદ્ગલ દ્રવ્યની વ્યવસ્થા ભલે હો પરંતુ જીવદ્રવ્યની વાત તો નિરાળી જ છે, તો તેઓને અમે જણાવીએ છીએ કે માત્ર પુદ્ગલ દ્રવ્ય જ નહિ, પરંતુ એ દ્રવ્યની દ્રવ્યગુણપર્યાયરૂપ અથવા તો ઉત્પાદવ્યયધુવરૂપ વસ્તુવ્યવસ્થા તો એક સમાન જ છે. જો જીવદ્રવ્યની કોઈ અન્ય વ્યવસ્થા હોત, તો ભગવાને અને આચાર્ય ભગવંતોએ શાસ્ત્રોમાં જરૂર જણાવી જ હોત, પણ તેવું ન હોવાથી જ કાંઈ જણાવેલ નથી; તેથી કરીને આવા મિથ્યાત્વરૂપ આગ્રહને છોડી વસ્તુવ્યવસ્થા જેમ છે, તેમ જ માનવી આવશ્યક છે અન્યથા તે જીવે અનંત સંસારી, અનંત દુઃખી થવાને જ આમંત્રણ આપેલ છે, કે જેના ઉપરના કરૂણાભાવથી જ આ લખાઈ રહ્યું છે. ભાવાર્થ :- “પરિણમનની અપેક્ષાએ જે ગુણો ઉત્પાદવ્યયયુક્ત કહેવાય છે તે જ ગુણો ગુણત્વસામાન્યની અપેક્ષાએ નિત્ય કહેવાય છે. એ બંને અપેક્ષાઓથી દ્રવ્યથી અભિન્નરૂપ ગુણો પણ ઉત્પાદવ્યય અને ધ્રૌવ્યયુક્ત કહ્યા છે....” માટીમાં કોઈ ગુણ નાશ થાય છે અને કોઈ ગુણ ઉત્પન્ન થાય છે એવી શંકા વ્યક્ત કરતાં આચાર્ય ભગવંત આગળની ગાથામાં જણાવે છે કે – ગાથા ૧૨૩ : અન્વયાર્થ :- “એ વિષયમાં આ ઉત્તર ઠીક છે કે એ કૃતિકાનું (માટીનું પાકા વાસણરૂપ થવાનું) એમ થતાં શું તેનું મૃતિકાપણું (માટીપણું) નાશ થઈ જાય છે ? જો (તેનું મૃતિકાપણું) નષ્ટ નથી થતું તો તે નિત્યરૂપ કેમ ન હોય ?” અર્થાત્ તે અપેક્ષાએ દ્રવ્ય નિત્ય છે, ધ્રુવ છે અન્યથા નહિ. ભાવાર્થ :- “કાચી માટીને પકાવતાં પ્રથમના માટી સંબંધી (બધા) ગુણો નષ્ટ થઈ નવીન પક્વગુણ પેદા થાય છે. આ પ્રમાણે માનવાવાળાને માટે આ ઉત્તર ઠીક , કૃતિકાની ઘટાદિ અવસ્થા થતાં શું તેનું પૃથ્વીપણું-મૃતિકાપણું પણ નષ્ટ થઈ જાય છે ? જો તે કૃતિકાપણું નાશ નથી પામતું, તો તે મૃતિકાપણું શું નિત્ય નથી ?” અર્થાત્ નિત્ય જ છે. આ અપેક્ષાએ દ્રવ્યને નિત્ય, ધ્રુવ વગેરે કહેવાય છે. હવે શંકાકાર શંકા કરે છે કે દ્રવ્ય અને પર્યાયને સર્વથા ભિન્ન માનવામાં શો દોષ છે ? ઉત્તર – ગાથા ૧૪ર : અન્વયાર્થ :- “અથવા અનુ શબ્દનો અર્થ છે કે, જે વચમાં કદી પણ અલિત નહિ થવાવાળા પ્રવાહથી (અનુસ્મૃતિથી રચાયેલ પર્યાયોનો પ્રવાહ તે જ દ્રવ્ય) વર્તી રહ્યા હોય તથા “અયતિ' એ ક્રિયાપદ ગતિ અર્થવાળી ‘અય' ધાતુનું રૂપ છે, માટે અવિચ્છિન્ન પ્રવાહરૂપથી જે ગમન કરી રહ્યું છે તે અન્વર્થની અપેક્ષાએ અન્વય શબ્દનો અર્થ દ્રવ્ય છે.” ભાવાર્થ :- “...અર્થાત્ જે નિરંતર પોતાની ઉત્તરોત્તર થવાવાળા પર્યાયોમાં ગમન કરે તે દ્રવ્ય છે (અર્થાત્ દ્રવ્ય પર્યાયોમાં જ છુપાયેલ છે). ગતિ અન્વય’ શબ્દ “અને ઉપસર્ગપૂર્વક ગત્યર્થક ‘અય' ધાતુથી
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy