SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ 30 સમ્યગ્દર્શનની રીત સમજ્યા વગર એકાંતે ગ્રહણ કરી, એકાંતનો આગ્રહ ધરી જો જૈનશાસનનું ભલું કરવા ઇચ્છતા હો, તો તે આપની મહાન ભૂલરૂપ જ છે. તે તો જૈનશાસનના અધઃ પતનનું જ નિમિત્ત બનશે અને કેટલાય જીવોના અધઃપતનનું કારણ પણ બનશે. અને તે સર્વેના અધઃપતનની જવાબદારી આવા એકાંત પ્રરૂપણા અને એકાંતનો આગ્રહ કરવાવાળાઓની જ છે, તેથી તેઓની દશા વિશે વિચારીને અમોને ખૂબ જ કરૂણા ઊપજે છે, અને તે જ કારણે અમોને અત્રે આટલું અધિક સ્પષ્ટીકરણ કરવાની જરૂર ઊભી થયેલ છે. ગાથા ૧૧૯ : અન્વયાર્થ :- ‘“ગુણોને તદ્વસ્થ (અર્થાત્ અપરિણામી-કુટસ્થ), તેના અવસ્થાંતરને પર્યાય તથા બંનેના મધ્યવર્તીને (અર્થાત્ તે બંને મળીને) દ્રવ્ય, એ શંકાકારનું કહેવું ઠીક નથી. કારણ કે જેમ સંપૂર્ણ ગુણની અવસ્થાઓ આક્રેડિત (એકરૂપ) થઈને અર્થાત્ એક આલાપથી પુનઃ પુનઃ પ્રતિપાદિત થઈને (અનુસ્મ્રુતિથી રચાયેલ પર્યાયોનો પ્રવાહ તે જ દ્રવ્ય) વસ્તુ અર્થાત્ દ્રવ્ય કહેવાય છે. તે જ પ્રમાણે તેની એ અવસ્થાઓથી ભિન્ન (અર્થાત્ પર્યાયોથી ભિન્ન) કોઈ પણ ભિન્ન સત્તાવાળી વસ્તુ (અર્થાત્ દ્રવ્ય = ધ્રૌવ્ય) કહી શકાતી નથી.’’ જ આનો અર્થ સ્પષ્ટ છે કે જે દ્રવ્ય છે તે જ પર્યાયાર્થિક નયની અપેક્ષાએ પર્યાય છે અને જે પર્યાય છે તે જ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ દ્રવ્ય છે. તે બંને ભિન્ન ન હોવાં છતાં અપેક્ષાએ (પ્રમાણદષ્ટિએ) તેને કથંચિત ભિન્ન કહી શકાય છે અને તેથી જ તેના પ્રદેશો પણ અપેક્ષાએ ભિન્ન કહી શકાય છે, અન્યથા નહિ, સર્વથા નહિ; વાસ્તવમાં તો ત્યાં કોઈ ભેદ જ નથી, ભેદરૂપ વ્યવહાર તો માત્ર સમજાવવા માટે જ છે, નિશ્ચયનયે તો દ્રવ્ય અભેદ જ છે. જ ભાવાર્થ :- ‘‘સત્ની સંપૂર્ણ અવસ્થાઓ જ ફરી ફરી પ્રતિપાદિત થઈને વસ્તુ કહેવાય છે (અર્થાત્ સંપૂર્ણ પર્યાયોનો સમૂહ જ વસ્તુ છે, દ્રવ્ય છે), પરંતુ વસ્તુ પોતાની અવસ્થાઓથી કાંઈ ભિન્ન નથી. (અત્રે જેઓ વસ્તુમાં અપરિણામી અને પરિણામ એવા વિભાગો માનતાં હોય તેઓનું નિરાકરણ કરેલ છે અર્થાત્ તેવી માન્યતા મિથ્યાત્વના ઘરની છે) એટલા માટે જેમ ગુણમય દ્રવ્ય હોવાથી દ્રવ્ય અને ગુણોમાં સ્વરૂપભેદ થતો નથી, તે જ પ્રમાણે દ્રવ્યની અવસ્થાઓ જ ગુણની અવસ્થાઓ કહેવાય છે. માટે દ્રવ્ય પણ તેના પર્યાયોથી ભિન્ન નથી (પ્રદેશભેદ નથી), તેથી ગુણને તદ્વસ્થ (અપરિણામી) તથા અવસ્થાન્તરોને પર્યાય માની એ બંનેના કોઈ મધ્યવર્તીને જુદું દ્રવ્ય માનવું એ ઠીક નથી. એટલા માટે'' ગાથા ૧૨૦ : અન્વયાર્થ :- ‘નિયમથી જે ગુણો પરિણમનશીલ હોવાના કારણથી (અત્રે લક્ષમાં લેવું આવશ્યક છે કે ગુણોને નિયમથી પરિણમનશીલ કહ્યા છે તેમાં કોઈ અપવાદ નથી અને બીજું, હોવાના કારણે કહ્યું છે અર્થાત્ તે ત્રણે કાળે તે જ રીતે છે) ઉત્પાદવ્યયમય કહેવાય છે, તે જ ગુણો ટંકોત્કીર્ણ ન્યાયથી (અર્થાત્ તે ગુણો અન્ય ગુણરૂપ થતાં ન હોવાના કારણે) પોતાના સ્વરૂપને કદી પણ ઉલ્લંઘન કરતાં નથી તેથી તે નિત્ય કહેવાય છે.’' ટૂંકોત્કીર્ણનો અર્થ સામાન્ય રૂપથી એવો ને એવો જ રહે છે એમ
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy