SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાધ્યાયી પૂર્વાર્ધની વસ્તુવ્યવસ્થા દર્શાવતી ગાથાઓ અર્થાત્ દ્રવ્યદષ્ટિથી તો તે નિત્ય ત્રિકાળી-ધૂવરૂપે જ જણાય છે, તેમાં કોઈ ઉત્પાદ-વ્યય જણાતા જ નથી; કારણ કે તેના ઉપર દષ્ટિ જ નથી. દષ્ટિ કેવળ ત્રિકાળી-ધ્રુવ દ્રવ્ય પર જ છે તેથી ઉત્પાદ, વ્યય ગૌણ થઈ જાય છે અને નિત્યત્વ મુખ્ય થઈ જાય છે. આ જ રીત છે પર્યાયના અભાવની. ભાવાર્થ :- “તેથી દ્રવ્ય, પર્યાયાર્થિકનયની અપેક્ષાએ નવીન નવીન અવસ્થારૂપથી ઉત્પન્ન તથા પૂર્વ પૂર્વ અવસ્થાઓથી નષ્ટ કહેવામાં આવે છે; પરંતુ દ્રવ્યાર્થિકનયથી દ્રવ્ય ન તો નષ્ટ થાય છે, ન ઉત્પન્ન થાય છે.” આ ભાવને અપેક્ષાએ ધ્રુવભાવ, અપરિણામી ભાવ પણ કહી શકાય છે, પરંતુ એકાંતે નહીં. ગાથા ૧૦૮ : અન્વયાર્થ:- “જૈનનો આ સિદ્ધાંત છે કે જેમ દ્રવ્ય નિત્ય-અનિત્યાત્મક છે તે જ પ્રમાણે ગુણ પણ પોતાના દ્રવ્યથી અભિન્ન હોવાના કારણે નિત્ય-અનિત્યાત્મક છે એમ સમજવું.” ભાવાર્થ :- “.દ્રવ્યદષ્ટિએ તે ગુણો પરસ્પરમાં તથા દ્રવ્યથી અભિન્ન જ છે....” ગાથા ૧૧૦ : અન્વયાર્થ :- “જેમ જ્ઞાન, ઘટના આકારથી પટના આકારરૂપ થવાના કારણે પરિણમનશીલ છે, તો શું તેનું જ્ઞાનપણું નષ્ટ થઈ જાય છે? જે તે જ્ઞાનત્વ નષ્ટ થતું નથી, તો તે અપેક્ષાએ નિત્ય કેમ સિદ્ધ નહિ થાય ? અર્થાત્ અવશ્ય જ (નિત્ય સિદ્ધ) થશે.” અત્રે સમજવાનું એ છે કે કોઈ એમ કહે કે જ્ઞાનગુણ તો અકબંધ-કુટસ્થ-અપરિણામી રહે છે અને તેમાંથી જ્ઞાનનો પર્યાય નીકળે છે, તો એવી માન્યતાથી તો જ્ઞાનગુણનો જ અભાવ થઈ જશે; કારણ કે જ્ઞાનગુણ પરિણમનશીલ છે, અર્થાત્ જ્ઞાનગુણ પોતે કોઈ ને કોઈ કાર્ય વગર રહેતો જ નથી, તે જ્ઞાનગુણ પોતે જ તે કાર્યરૂપે પરિણમે છે, અર્થાત્ સ્વપરને જાણવારૂપે પરિણમે છે અને તે સ્વપરરૂપ પ્રતિબિંબને ગૌણ કરતાં જ સામાન્યપણાથી જ્ઞાનગુણ એવો ને એવો જ જણાય છે. તેથી કહેવાય છે કે તે જ્ઞાનપણાનું ઉલ્લંઘન કરતો જ નથી, તે અપેક્ષાએ તેને કુટસ્થ અથવા અપરિણામી કહી શકાય, અન્યથા નહિ. ભાવાર્થ :- “ઘટને છોડીને પટને અને પટને છોડીને અન્ય પદાર્થને જાણતી વેળા જ્ઞાન પર્યાયાર્થિકનયથી અન્યરૂપ કહેવાતાં છતાં પણ તેનું જ્ઞાનપણું ઉલ્લંઘન કરતું નથી, પરંતુ સામાન્યપણાથી (અર્થાત્ તે પ્રતિબિંબને ગૌણ કરતાં જે ભાવ રહે તેને જ તેનું સામાન્ય કહેવાય છે અર્થાત્ વિશેષ સામાન્યનું જ બનેલ હોય છે અર્થાત્ પર્યાયરૂપ વિશેષ દ્રવ્યરૂપ સામાન્યનું જ બનેલ હોય છે અર્થાત્ વિશેષને = પર્યાયને ગૌણ કરતાં જ સામાન્ય = દ્રવ્યની અનુભૂતિ થાય છે) નિરંતર ""$VXodoX$'' - તે જ આ છે. અર્થાત્ આ તે જ જ્ઞાન છે કે જેની પહેલાં તે પર્યાય હતો અને હાલ આ પર્યાય છે (અર્થાત્ જ્ઞાન જ = જ્ઞાનગુણ જ તે પર્યાયરૂપ પરિણમેલ છે) એવી પ્રતીતિ થાય છે, માટે જ્ઞાન–સામાન્યની અપેક્ષાએ જ્ઞાન નિત્ય છે.” જેમ કે – ગાથા ૧૧૧ : અન્વયાર્થ :- “તેનું ઉદાહરણ આ છે કે, જેમ નિશ્ચયથી આમ્રફળમાં રૂપ નામનો ગુણ પરિણમન કરતો કરતો હરિતમાંથી પીળો થઈ જાય છે, તો શું એટલામાં તેના વર્ણપણાનો નાશ થઈ
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy