________________
૨૨
સમ્યગ્દર્શનની રીત
દૃષ્ટિભેદે ભેદ
અનેક લોકો સંસારી જીવને એકાંતે અશુદ્ધ માને છે, એમને પર્યાયદષ્ટિ જીવ કહેવાય છે, અને એવા લોકો ચોથા ગુણસ્થાનકે શુદ્ધાત્માના અનુભવની વાત પણ માનતા નથી. સાંસારિક જીવ શુદ્ઘનય/ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ પરમ શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે આ વાત અનેક શાસ્ત્રોમાં જણાવેલ છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સમયે જે શુદ્ધાત્માનો અનુભવ થાય છે, તે આ ત્રિકાળ શુદ્ધાત્માનો અનુભવ થાય છે, નહીં કે આત્માના મધ્યના આઠ રૂચક પ્રદેશોનો. આ શુદ્ધાત્માને કારણ પરમાત્મા અથવા કારણ સમયસાર પણ કહેવાય છે. આ કારણ પરમાત્મા ત્રિકાળ શુદ્ધ છે, જેના બળે/અનુભવથી જ કાર્ય પરમાત્માપણું પ્રાપ્ત થાય છે. આ વાત અમે આગળ વિસ્તારથી સમજાવશું. તેને યથાયોગ્ય સમજીને પહેલા તેનો નિર્ણય કરવો, ભાવભાસન કરવું અને પછી તેનો જ અનુભવ પોતાની યોગ્યતા અનુસાર થાય છે. વસ્તુમાં સર્વ ભેદો દષ્ટિ અપેક્ષાએ છે નહિ કે વાસ્તવિક, જેમ કે, પ્રમાણદષ્ટિએ જોતાં વસ્તુ દ્રવ્યપર્યાયમય છે અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ જ છે, જ્યારે તે જ વસ્તુને પર્યાયદષ્ટિથી જોવામાં આવે અર્થાત્ તેને માત્ર તેના વર્તમાન કાર્યથી, તેની વર્તમાન અવસ્થાથી જ જોવામાં આવે, તો તે વસ્તુ માત્ર તેટલી જ છે અર્થાત્ પૂર્ણદ્રવ્ય તે વખતે માત્ર વર્તમાન અવસ્થારૂપ જ જણાય છે અર્થાત્ તે વર્તમાન અવસ્થામાં જ પૂર્ણ દ્રવ્ય છુપાયેલ છે કે જે ભાવ સમયસાર ગાથા ૧૩માં દર્શાવવામાં આવેલ છે અર્થાત્ વર્તમાન ત્રિકાળીનું જ બનેલ છે. જેમ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા ૨૬૯માં જણાવેલ છે કે, ‘‘જે નય વસ્તુને તેના વિશેષ રૂપથી (પર્યાયથી) અવિનાભૂત (અર્થાત્ પર્યાયરહિત દ્રવ્ય નહિ પરંતુ પર્યાયસહિત દ્રવ્યને અર્થાત્) સામાન્ય રૂપને નાના પ્રકારની યુક્તિના બળથી (અર્થાત્ પર્યાયને ગૌણ કરીને દ્રવ્યને) સાધે તે દ્રવ્યાર્થિકનય (દ્રવ્યદૃષ્ટિ) છે.’’
'
ભાવાર્થ :- ‘વસ્તુનું સ્વરૂપ સામાન્ય-વિશેષાત્મક છે. વિશેષ વિના સામાન્ય હોતું નથી.......'' અને ગાથા ૨૭૦માં પણ જણાવેલ છે કે, “જે નય અનેક પ્રકારે સામાન્યસહિત સર્વ વિશેષને તેના સાધનનું જે લિંગ (ચિહ્ન) તેના વશથી સાધે તે પર્યાયાર્થિકનય (પર્યાયદષ્ટિ) છે.’’
..
ભાવાર્થ :- ‘‘સામાન્ય (દ્રવ્ય) સહિત તેના વિશેષોને (પર્યાયોને) હેતુપૂર્વક સાધે (અર્થાત્ દ્રવ્યને