SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ વ્યવસ્થા હવે ઉત્પાદ-વ્યય-ધ્રુવથી પણ આ જ ભાવ સમજીએ. જે ઉત્પાદ-વ્યય છે તે પર્યાય છે અને જે ધ્રુવ છે તે દ્રવ્ય છે અર્થાત્ જે દ્રવ્ય છે તે નિત્ય છે અને તેનાથી જ “આ તે જ છે' એવો નિર્ણય થાય છે, તેથી તેને જ ધ્રુવભાવ અથવા અપરિણામી ભાવ પણ કહેવાય છે. જૈન ધર્મમાં ધ્રુવભાવ એ એકાંત અપરિણામી અર્થાત્ કુટસ્થ નથી પરંતુ તે પરિણમનશીલ વસ્તુ છે, જેમાં સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા રર૬માં જણાવેલ છે કે, “વળી એકાંતસ્વરૂપદ્રવ્ય છે તે લેશમાત્ર પણ કાર્ય કરતું નથી તથા જે કાર્ય ન કરે તે દ્રવ્ય જ કેવું? તે તો શૂન્યરૂપ જેવું છે.” ભાવાર્થ :- “જે અર્થક્રિયારૂપ હોય તેને જ પરમાર્થ વસ્તુ કહી છે, પણ જે અર્થક્રિયારૂપ નથી તે તો આકાશના ફૂલની માફ્ટ શૂન્યરૂપ છે.” અર્થાત્ જે પોતાના કાર્યસહિતની વસ્તુ છે, તેનો જે ટકતો ભાવ છે, તે જ ધ્રુવભાવ અથવા અપરિણામી ભાવ છે અને તે વસ્તુનું જે કાર્ય છે અર્થાત્ તેનો જે વર્તમાન ભાવ અથવા તેની જે વર્તમાન અવસ્થા છે, તેને જ તેનો પરિણમતો ભાવ કહેવાય છે, તેને જ ઉત્પાદ-વ્યય કહેવાય છે. તે એવી રીતે કે જૂના પર્યાયનો ક્ષય અને નવા પર્યાયનો ઉત્પાદ. આ ઉત્પાદ-વ્યય પણ કોઈ નવી વસ્તુના ઉત્પાદ-વ્યયરૂપ નથી, તે તો માત્ર એક વસ્તુના (દ્રવ્યના) એક સમય પહેલાંના રૂપનો વ્યય અને વર્તમાન સમયના રૂપનો ઉત્પાદ જ છે અર્થાત્ એક અભેદ-અખંડ-અભિન્ન વસ્તુનું સમય અપેક્ષાએ કાર્ય (પરિણમન) તે જ તેનો ઉત્પાદ-વ્યયરૂપ પર્યાય કહેવાય છે. ત્યાં કોઈ વાસ્તવિક ઉત્પાદ-વ્યય અથવા આવવું-જવું નથી, પરંતુ વસ્તુ નિત્ય પરિણમતી રહે છે અર્થાત્ અનુસ્મૃતિથી રચાયેલ પર્યાયોનો સમૂહ તે જ વસ્તુ અને તેમાં સમય અપેક્ષાએ ઉત્પાદ-વ્યય કહેવાય છે અર્થાત્ તે જ વસ્તુને વર્તમાનથી જોતાં તેને તે દ્રવ્યની વર્તમાન અવસ્થા-પર્યાય કહેવાય છે અર્થાત્ વસ્તુમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ એવા વાસ્તવિક ભેદ ન હોવા છતાં, માત્ર વ્યવહારથી જ ભેદનયની અપેક્ષાએ તેમ કહેવાય છે, તેનું ફળ માત્ર વસ્તુનું સ્વરૂપ સમજવા પૂરતું જ છે, નહીં કે ભેદમાં જ અટવાઈ પડવા માટે; કારણ કે ભેદમાં જ અટકતાં વસ્તુનું અભેદ સ્વરૂપ નહીં પકડાય કે જે સ્વાત્માનુભૂતિ માટે કાર્યકારી છે. હવે અમે આગળ ભેદાભેદ સ્વરૂપ કઈ અપેક્ષાએ પ્રાપ્ત થાય તેની યથાર્થ વિધિ સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ.
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy