SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ દ્રવ્ય-પર્યાય વ્યવસ્થા ૧૯ દ્રવ્ય અને ગુણની વ્યવસ્થા જોઈ, હવે આપણે પર્યાય વિશે વિચાર કરીશું :- ગુણોના સમૂહપ અભેદ દ્રવ્ય (વસ્તુ) છે, તો તેમાં પર્યાય ક્યાં રહે છે ? ઉત્તર – પર્યાય દ્રવ્યના સર્વભાગમાં (પૂર્ણ ક્ષેત્રમાં) રહે છે; કારણ કે ગુણોના સમૂહરૂપ અભેદ દ્રવ્યનો જે વર્તમાન છે અર્થાત્ તેની જે વર્તમાન અવસ્થા છે (પરિણમન છે), તેને જ તે દ્રવ્યની પર્યાય કહેવામાં આવે છે અને તે અભેદ પર્યાયમાં જ વિશેષતાઓની અપેક્ષાથી અર્થાત્ ગુણોની અપેક્ષાએ તેમાં (અભેદ પર્યાયમાં) જ ભેદ કરીને તેને ગુણોની પર્યાય કહેવાય છે. આ કારણે કહી શકાય કે જેટલું ક્ષેત્ર દ્રવ્યનું છે, તે અને તેટલું જ ક્ષેત્ર ગુણોનું છે અને તે અને તેટલું જ ક્ષેત્ર પર્યાયનું પણ છે; આથી જ દ્રવ્ય-પર્યાયને વ્યાપ્ય-વ્યાપક સંબંધ કહેવાય છે. આ જ વાત પ્રવચનસાર ગાથા ૧૧૪ માં પણ કહેલ છે કે, ‘‘દ્રવ્યાર્થિક (નય) વડે સઘળું (અર્થાત્ પૂર્ણ દ્રવ્ય) દ્રવ્ય છે; અને વળી પર્યાયાર્થિક (નય) વડે તે (દ્રવ્ય) અન્ય-અન્ય છે, કારણ કે તે કાળે તન્મય હોવાને લીધે (દ્રવ્ય-પર્યાયોથી) અનન્ય છે.’' અહીં કોઈને પ્રશ્ન થાય કે તો દ્રવ્ય અને પર્યાયના પ્રદેશો ભિન્ન છે એવું કઈ રીતે કહી શકાય ? ઉત્તર ભેદ વિવક્ષામાં જ્યારે એક અભેદ-અખંડ દ્રવ્યમાં ભેદ ઉપજાવીને સમજાવવામાં આવે છે ત્યારે દ્રવ્ય અને પર્યાય એવા વસ્તુના બે ભાવોને પોતપોતાના ભાવની અપેક્ષાથી એવું કહી શકાય કે બન્નેના પ્રદેશો ભિન્ન છે; પરંતુ વાસ્તવમાં (ખરેખર) ત્યાં કાંઈ જ ભિન્નતા નથી, તે બન્ને અભેદ જ છે, તન્મય જ છે અર્થાત્ એક જ આકાશપ્રદેશોને અવગાહીને રહેલ છે. જેમ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા ૨૭૭માં જણાવેલ છે કે, ‘વસ્તુ જે કાળે, જે સ્વભાવે પરિણમનરૂપ હોય છે, તે કાળે, તે પરિણામથી તન્મય હોય છે;.........' અને પંચાસ્તિકાયસંગ્રહ ગાથા ૯માં પણ જણાવેલ છે કે, ‘‘તે તે સદ્ભાવપર્યાયોને જે દ્રવે છે – પામે છે, તેને (સર્વજ્ઞો) દ્રવ્ય કહે છે કે જે સત્તાથી (અર્થાત્ દ્રવ્યથી) અનન્યભૂત છે.’’ આ અભેદ પર્યાયને, આકારની અપેક્ષાએ વ્યંજનપર્યાય અથવા દ્રવ્યપર્યાય કહેવાય છે, અને તે જ અભેદ પર્યાયને વિશેષતાઓની અપેક્ષાએ ગુણપર્યાય અથવા અર્થપર્યાય પણ કહેવાય છે. અત્રે સમજવાનું એ છે કે જે ગુણોના સમૂહરૂપ દ્રવ્ય છે, તેનો કોઈ ને કોઈ આકાર અવશ્ય હોવાનો અને તેનું કોઈ ને કોઈ રૂપ અને કાર્ય પણ અવશ્ય હોવાનું જ અર્થાત્ તેમાં જે આકાર છે તેને તે દ્રવ્યની દ્રવ્યપર્યાય અથવા વ્યંજનપર્યાય કહેવાય છે, અને જે તેનું વર્તમાન કાર્ય છે (પરિણામ છે = અવસ્થા છે), તેને તે દ્રવ્યની ગુણપર્યાય અથવા અર્થપર્યાય કહેવાય છે.
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy