SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનની રીત છે તથા ખરેખર તેનો અનુભવ કરવાવાળા જે મિથ્યાદષ્ટિ છે તે પણ અહીં ખંડિત થઈ ચૂક્યા.” અર્થાત્ જેઓ દ્રવ્યને અભેદ-અખંડ અનુભવતા નથી, તેઓને નિયમથી ભ્રમયુક્ત મિથ્યાદષ્ટિ માનવા. ભાવાર્થ :- “વ્યવહારનય, ઉક્ત પ્રકારના ભેદને વિષય કરે છે; કારણ કે, વિધિપૂર્વક ભેદ કરવો એ જ વ્યવહાર’ શબ્દનો અર્થ છે. તેથી સિદ્ધ થાય છે કે, વ્યવહારનય અભૂતાર્થ જ છે – પરમાર્થભૂત નથી, તથા ખરેખર તેનો અનુભવ કરવાવાળા મિથ્યાદષ્ટિ છે તેઓ પણ નષ્ટ થઈ ચૂક્યા (અર્થાત્ તેઓ અનંતસંસારી થઈ ચૂક્યા)....” અર્થાત્ જેઓ ભેદમાં જ રમતા હોય અને ભેદની જ પ્રરૂપણા કરતાં હોય તેને કદી અભેદ દ્રવ્ય અનુભવમાં જ આવવાનું નથી, તેથી કરી તે મિથ્યાદષ્ટિ છે – નષ્ટ થઈ ચૂક્યા સમાન છે. ગાથા ૬૩૭ અન્વયાર્થ :- “શંકાકાર કહે છે કે, જે એમ કહો તો નિયમથી નિશ્ચયપૂર્વક નિશ્ચયનય જ આદર કરવા યોગ્ય માનવો જોઈએ. કારણ કે, અકિંચત્કારી હોવાથી અપરમાર્થભૂત વ્યવહારનયથી શું પ્રયોજન છે ? જો એમ કહો તો –' અર્થાત્ શંકાકાર એકાંતે નિશ્ચયનય જ માનવો જોઈએ એમ કહે છે. ઉત્તર – ગાથા ૬૩૮-૬૩૯ : અન્વયાર્થ:- “એ પ્રમાણે કહેવું ઠીક નથી. કારણ કે, અહીં આગળ વિપ્રતિપત્તિ થતાં તથા સંશયની આપત્તિ આવતાં વા વસ્તુનો વિચાર કરવામાં બળપૂર્વક વ્યવહારનય પ્રવૃત્ત થાય છે અથવા જે જ્ઞાન બન્ને નયોને અવલંબન કરવાવાળું છે તે જ પ્રમાણ કહેવાય છે. તેથી પ્રસંગવશ તે વ્યવહારના કોઈના માટે ઉપરનાં ઉપર જણાવેલ) કાર્યો માટે આશ્રય કરવા યોગ્ય છે. પરંતુ સવિકલ્પ જ્ઞાનવાળાઓની માફક નિર્વિકલ્પ જ્ઞાનવાળાઓને તે શ્રેયભૂત નથી.” અર્થાત્ તે મિથ્યાત્વીને તત્ત્વ સમજવા/સમજાવવા માટે આશ્રય કરવા યોગ્ય છે, પરંતુ સમ્યગ્દષ્ટિઓને અનુભવકાળે તેનો આશ્રય હોતો નથી અર્થાત્ તે શ્રેયભૂત નથી. કેમ કે વિકલ્પ છે તે વ્યવહાર છે અને નિર્વિકલ્પ છે તે નિશ્ચય. હવે અમે આગળ દ્રવ્ય-પર્યાયની યથાર્થ વ્યવસ્થા સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ.
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy