SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય - ગાગ વ્યવસ્થા ગાથા ૧૪૩ : અન્વયાર્થ:- “સત્તા, સત્ત્વ અથવા સત, સામાન્ય, દ્રવ્ય, અન્વય, વસ્તુ, અર્થ અને વિધિ - એ નવા શબ્દો સામાન્ય રૂપથી એક દ્રવ્યરૂપ અર્થના જ વાચક છે.” એટલે જો એમ કહેવામાં આવે કે એક સત્તાના બે સત્ છે કે ત્રણ સત્ છે કે ચાર સત્ છે કે અનંત સત્ છે, તો એ કથન ભેદનયની અપેક્ષાએ સમજવું; કારણ કે સત્તા અને સત્ એ બન્ને એકાર્થ વાચક જ છે, છતાં ભેદની અપેક્ષાએ એક સત્તાના બે, ત્રણ, ચાર અથવા અનંત ભેદ કરીને ભેદનયે કરી કથન કરી શકાય. પરંતુ વાસ્તવમાં (ખરેખર) તો સત્ કહો કે સત્તા કહો તે એક, અભેદ જ છે અર્થાત્ જે પણ ભેદ કર્યા છે તે તો માત્ર વસ્તુને સમજાવવા માટે જ છે, ભેદરૂપ વ્યવહારમાત્ર જ છે. ગાથા પર૪ : અન્વયાર્થ:- “અનંત ધર્મવાળા એક ધર્મીના વિષયમાં આસ્તિક્ય બુદ્ધિ થવી એ જ આ વ્યવહારનયનું ફળ છે......” અર્થાત્ વ્યવહારરૂપ ભેદ માત્ર આસ્તિક્ય બુદ્ધિ થવા અર્થે જ છે, અન્યથા નહિ. ભાવાર્થ:- “પૂર્વોક્ત પ્રકારના વ્યવહારને માનવાનું પ્રયોજન આ છે કે, ‘વસ્તુના અનંત ધર્મો હોવા છતાં તે એક અખંડ વસ્તુ છે' એવી પ્રતીતિ કરવી, અર્થાત્ ગુણ-ગુણી અભેદ હોવાથી ગુણોને જાણતાં ગુણીનું સુપ્રતીત (ઓળખાણ) જીવને થાય, તો આ વ્યવહારનયનું યથાર્થ ફળ આવ્યું કહેવાય. વ્યવહારના આશ્રયનું ફળ વિકલ્પ-રાગદ્વેષ છે, માટે ભેદનો આશ્રય ન કરતાં અર્થાત્ આ નય દ્વારા કહેલા ગુણના ભેદમાં ન રોકાતાં અભેદદ્રવ્યની પ્રતીતિ કરવી તે આ નયના જ્ઞાનનું ફળ છે. આ ફળ ન આવે તો આ નયજ્ઞાન યથાર્થ નથી.” ગાથા ૬૩૪-૬૩૫ : અન્વયાર્થ :- “નિશ્ચયથી વ્યવહારનય અભૂતાર્થ છે (અર્થાત્ સમ્યગ્દર્શન અર્થે અર્થાત્ આત્માની અભેદ અનુભૂતિ અર્થે કાર્યકારી નથી) તેમાં આ કારણ છે કે, અહીં સૂત્રમાં જે દ્રવ્યને ગુણવાળું કહ્યું છે તેનો અર્થ કરવાથી અહીં આગળ ગુણ જુદા છે, દ્રવ્ય જુદું છે તથા ગુણના યોગથી તે દ્રવ્ય ગુણવાળું કહેવાય છે એવો અર્થ સિદ્ધ થાય છે (જણાય છે), પરંતુ તે ઠીક નથી. કારણ કે ન ગુણ છે, ન દ્રવ્ય છે, ન ઉભય છે, ન એ બન્નેનો યોગ છે પરંતુ કેવળ અસત્ (અભેદદ્રવ્ય) છે, તથા એ જ સને ચાહે ગુણ માનો અથવા દ્રવ્ય માનો, પરંતુ તે ભિન્ન નથી અર્થાત્ નિશ્ચયથી અભિન્ન જ છે.” ભાવાર્થ :- “વ્યવહારનયથી "JwUdXP D] S' ગુણવાળાને દ્રવ્ય કહેવાથી એવો બોધ થઈ શકે છે કે, ગુણ અને દ્રવ્ય ભિન્ન ભિન્ન વસ્તુ છે તથા ગુણના યોગથી દ્રવ્ય, દ્રવ્ય કહેવાય છે, પરંતુ એવો અર્થ ઠીક નથી, કારણ કે, ન ગુણ છે, ન દ્રવ્ય છે, ન બને છે કે ન બંનેનો યોગ છે; પરંતુ નિશ્ચયનયથી કેવળ એક અદ્વૈત, અભિન્ન, અખંડ જ સત્ છે, તેને જ ચાહે ગુણ કહો, ચાહે દ્રવ્ય કહો અથવા જે ઈચ્છો તે કહો! સારાંશ-' ગાથા ૬૩૬ અન્વયાર્થ:- “તેથી આન્યાયથી સિદ્ધ થયું કે, વ્યવહારનય છે, તો પણ તે અભૂતાર્થ
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy