________________
૨૦૪
સમ્યગ્દર્શનની રીત
૩૯
અનિત્ય ભાવના – સર્વે સંયોગો અનિત્ય છે, ગમતા અથવા અણગમતા એવા તે કોઈ જ સંયોગ મારી સાથે નિત્ય રહેવાવાળાં નથી, તેથી તેનો મોહ અથવા દુ:ખનો ત્યાગ કરવો – તેમાં ‘હુંપણું’ અને ‘મારાપણું’ ત્યાગવું.
-
બાર ભાવેના
અશરણ ભાવના – મારા પાપોના ઉદય વેળાં મને માતા-પિતા, પત્ની-પુત્ર, પૈસો વગેરે કોઈ જ શરણરૂપ થઈ શકે તેમ નથી, તેઓ મારું દુ:ખ લઈ શકે તેમ નથી, તેથી તેઓનો મોહ ત્યાગવો – તેઓમાં મારાપણું ત્યાગવું પરંતુ ફરજ પૂરેપૂરી બજાવવી.
સંસાર ભાવના સંસાર એટલે સંસરણ-રખડપટ્ટી અને તેમાં એક સમયનાં સુખની સામે અનંતકાળનું દુઃખ મળે છે; તો એવો સંસાર કોને ગમે ? અર્થાત્ ન જ ગમે અને તે માટે એકમાત્ર લક્ષ સંસારથી છૂટવાનું જ રહેવું જોઈએ.
-
એકત્વ ભાવના – અનાદિથી હું એકલો જ રખડું છું, એકલો જ દુઃખ ભોગવું છું; મરણ સમયે મારી સાથે કોઈ જ આવવાનું નથી, મારું કહેવાતું એવું શરીર પણ નહિ, તો મારે શક્ય હોય તેટલું પોતામાં જ (આત્મામાં જ) રહેવાનો પ્રયત્ન કરવો.
અન્યત્વ ભાવના – હું કોણ છું ? તે ચિંતવવું અર્થાત્ પૂર્વે જણાવ્યા અનુસાર પુદ્ગલ અને પુદ્ગલ (કર્મ) આશ્રિત ભાવોથી પોતાને જુદો ભાવવો અને તેમાં જ ‘હુંપણું’ કરવું, તેનો જ અનુભવ કરવો, તેને જ સમ્યગ્દર્શન કહેવાય છે. તે જ આ જીવનનું એકમાત્ર લક્ષ અને કર્તવ્ય હોવું જોઈએ.
અશુિચ ભાવના મને, મારાં શરીરને સુંદર બતાવવાના = શણગારવાના જે ભાવ છે અને વિજાતીયનાં શરીરનું આકર્ષણ છે કે જે શરીરની ચામડીને હટાવતાં જ માત્ર માંસ, લોહી, પરું, મળ, મૂત્ર વગેરે જ જણાય છે કે જે અશુચિરૂપ જ છે એવું ચિંતવી પોતાનાં શરીરનો અને વિજાતીયનાં શરીરનો મોહ ત્યજવો, તેમાં મૂંઝાવું (મોહિત થવું) નહિ.