SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ સમ્યગ્દર્શનની રીત ભાવ પણું છોડતો નથી અર્થાત્ તે કોઈ વિક્રિયા પામતો નથી અર્થાત્ તે પરમ અકર્તા જ રહે છે, દર્પણના દૃષ્ટાંતની જેમ પ્રકાશ્ય પદાર્થોથી વિક્રિયા પામતો નથી), તો પછી એવી વસ્તુસ્થિતિના જ્ઞાનથી રહિત જેમની બુદ્ધિ છે એવા અજ્ઞાની જીવો (અર્થાત્ જેને આ વાત નથી બેસતી કે, જે ભાવવિશેષમાં પરને જાણે છે તે જ ભાવ સામાન્યરૂપે પરમ પારિણામિક ભાવરૂપ-સહજ પરિણમનરૂપ-શુદ્ધાત્મારૂપ-પરમ અકર્તાભાવ છે અને તે પરને જાણતાં, જરા પણ વિક્રિયા પામતો નથી; એવા જીવોને અજ્ઞાની જીવો માનવાં, એવા અજ્ઞાની જીવો) પોતાની સહજ ઉદાસીનતાને કેમ છોડે છે (અર્થાત્ તે અજ્ઞાની જીવો પોતાના પરમ પારિણામિક ભાવરૂપ-સહજ પરિણમનરૂપ-જ્ઞાન સામાન્ય ભાવનો અનુભવ કેમ કરતાં નથી ?) અને રાગદ્વેષમય કેમ થાય છે ? (એમ આચાર્યદેવે શોચ કર્યો છે અર્થાત્ કરુણા કરી છે).'' ૪ અર્થાત્ વસ્તુસ્વરૂપ જેમ છે તેમ સમજીને સર્વે જનો સમ્યગ્દર્શન પામે એવો જ આચાર્યદેવનો ઉદ્દેશ છે અર્થાત્ જે કોઈ અત્રે જણાવેલ વસ્તુસ્વરૂપથી વિપરીત માન્યતા પોષતા હોય અથવા પ્રરૂપણા કરતાં હોય તો, તેઓએ ત્વરાએ પોતાની માન્યતા યથાર્થ કરી લેવી અત્યંત આવશ્યક છે કે જેથી તેઓ ભ્રમમાંથી બહાર નીકળી શકે અને પોતાનું તથા અન્ય અનેકોના અહિતનું કારણ બનતાં બચી શકે અને વર્તમાન માનવભવ સાર્થક કરી શકે. શ્લોક ૨૩૨ :- ‘‘પૂર્વે અજ્ઞાનભાવથી કરેલાં જે કર્મ તે કર્મરૂપી વિષવૃક્ષોનાં ફળને જે પુરુષ (તેનો સ્વામી થઈને) ભોગવતો નથી અને ખરેખર પોતાથી જ (આત્મસ્વરૂપથી જ - તેના અનુભવથી જ) તૃપ્ત છે, તે પુરુષ, જે વર્તમાન કાળે રમણીય છે (અર્થાત્ અતિન્દ્રિય આનંદયુક્ત છે) અને ભવિષ્યમાં પણ જેનું ફળ રમણીય છે એવી નિષ્કર્મ-સુખમય (અર્થાત્ સિદ્ધદશારૂપ) દશાંતરને પામે છે.’’ અર્થાત્ આ અધિકારનો મર્મ એ છે કે જે શુદ્ધાત્મામાં સ્થિત છે એવો સમ્યગ્દષ્ટિ જીવ, માત્ર જાણપણામાં જ રહેતો હોવાથી અત્યારે પણ અતિન્દ્રિય આનંદમાં છે અને તેનું ભવિષ્ય પણ તે જ છે અર્થાત્ ભવિષ્યમાં સિદ્ધના અનંત સુખો તેને આવકારવા ઊભા જ છે અને તેથી તે જ સર્વેને કર્તવ્ય છે અર્થાત્ નિશ્ચયથી શુદ્ધાત્મા જ સર્વે જનોને શરણભૂત છે. (CKD
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy