________________
૧૯૯
૩૮ સમયસારના પરિશિષ્ટમાંથી અનેકાંતનું સ્વરૂપ
વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય છે અને તે જેમ છે તેમ જ સમજવું અત્યંત આવશ્યક છે, અન્યથા મિથ્યાત્વનો નાશ શક્ય જ નથી. અનેકાંતનું સ્વરૂપ “સમયસારના પરિશિષ્ટમાં જણાવેલ છે તેના ઉપર થોડોક પ્રકાશ પાડીશું.
શ્લોક ૨૪૭ (પછીની ટીકા) :- “.... વળી, જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ એક જ્ઞાન-આકારનું ગ્રહણ કરવા માટે અનેક યાકારોના ત્યાગ વડે પોતાનો નાશ કરે છે (અર્થાત્ પરમ પરિણામિક ભાવની અનુભૂતિ માટે અર્થાત્ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે જીવ ખરેખર પરને જાણતો નથી’ એમ પ્રરૂપણા કરીને જ્ઞાનમાં જે અનેક શેયોના આકાર થાય છે તેમનો ત્યાગ કરીને પોતાને નષ્ટ કરે છે અર્થાત્ જોયોના ત્યાગમાં જ્ઞાન સામાન્ય અર્થાત્ પરમ પરિણામિક ભાવ નષ્ટ થાય છે અર્થાત્ “આત્મા ખરેખર પરને જાણતો નથી' એમ કહેતા જ્ઞાનના નાશનો પ્રસંગ આવે છે. તે જ વાત અપેક્ષા લગાવીને કહેવામાં આવે તો સમજી શકાય પણ આ વાત એકાંતે સત્ય નથી) ત્યારે પર્યાયોથી અનેકાણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી (અર્થાત્ અનેકાંત જ બળવાન છે કે જેના કારણે આત્માને સ્વ-પર પ્રકાશકપણું સ્વાભાવિક છે). ૪.....જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ જાણવામાં આવતાં એવાં પરદ્રવ્યોના પરિણમનને લીધે જ્ઞાતૃદ્રવ્યને પદ્રવ્યપણે માનીને - અંગીકાર કરીને નાશ પામે છે (અર્થાત્ આત્મા ખરેખર પરને જાણે છે પરંતુ પરને જાણવારૂપે તે જ્યારે સ્વયં પરિણમે છે ત્યારે તેને પરદ્રવ્યરૂપ માનીને – તેને પરદ્રવ્યરૂપ અંગીકાર કરી, પોતે નાશ પામે છે અર્થાત્ મિથ્યાત્વ પુષ્ટ કરે છે), ત્યારે (તે જ્ઞાનમાત્રભાવનું અર્થાત્ ?યોને) સ્વદ્રવ્યથી સત્પણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે - નાશ પામવા દેતો નથી. ૫..... જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ અનિત્ય જ્ઞાનવિશેષો વડે (અર્થાત્ પરને જાણવારૂપે પરિણમીને) પોતાનું નિત્ય જ્ઞાન સામાન્ય ખંડિત થયું માનીને નાશ પામે છે, ત્યારે તે જ્ઞાનમાત્ર ભાવનું) જ્ઞાન સામાન્ય રૂપથી નિત્યપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે – નાશ પામવા દેતો નથી. (અર્થાત્ જેઓ એવું માને છે કે “આત્મા ખરેખર પરને જાણતો નથી એમ માનતાં જ સમ્યગ્દર્શન થાય છે તે ભૂલભરેલું છે. કારણ કે પરનું જાણવું અથવા જણાવું ક્યારેય સમ્યગ્દર્શન માટે બાધાકારક થતું નથી, કેમ કે તે પરના જાણવાના પરિણમનરૂપ પોતાના