________________
સમયસારના અધિકારોનું વિહંગાવલોકન
૧૯૭
થાય છે કે જે તેને અનંત સંસારનું કારણ થાય છે.
ગાથા ૩૫૬ : ગાથાર્થ :- “જેમ ખડી પરની નથી, ખડી તે તો ખડી જ છે, તેમ જ્ઞાયક (જાણનારો, આત્મા) પરનો નથી (જ્ઞાયક એટલે જાણનાર હોવા છતાં સ્વ-પરને જાણવાનો સ્વભાવ હોવા છતાં તે પરરૂપે પરિણમીને જાણતો નહિ હોવાથી તે પરનો નથી. પરંતુ સ્વ-પરને જાણવું તે તો ‘સ્વ'નું જ પરિણમન છે), જ્ઞાયક (સ્વ-પર જે જાણનાર) તે તો જ્ઞાયક જ છે. (પ્રતિબિંબને ગૌણ કરતાં માત્ર પરમ પારિણામિક ભાવરૂપ જ્ઞાયક જ છે.)”
શ્લોક ૨૧૫ :- “જેણે શુદ્ધ દ્રવ્યના નિરૂપણમાં બુદ્ધિને સ્થાપી – લગાડી છે અને જે તત્ત્વને અનુભવે છે (અર્થાત્ જે સમ્યગ્દષ્ટિ છે), તે પુરુષને એક દ્રવ્યની અંદર કોઈ પણ અન્ય દ્રવ્ય રહેલું બિલકુલ (કદાપિ) ભાસતું નથી. (જેમ અરીસામાં પ્રતિબિંબ હોવા છતાં જ્ઞાની અરીસામાં કોઈ અન્ય પદાર્થ કે જે પ્રતિબિંબરૂપ છે તે તેમાં ઘૂસી ગયેલ જાણતો નથી અર્થાત્ જ્ઞાની તેને અરીસાનું જ પરિણમન જાણે છે. અર્થાત્ ત્યાં પ્રતિબિંબને ગૌણ કરીને અરીસાને અરીસારૂપે જ અનુભવે છે તેમ) જ્ઞાન યને જાણે છે (અર્થાત્ જ્ઞાનનું સ્વ-પર પ્રકાશકપણું છે, “આત્મા ખરેખર પરને જાણતો નથી” એવું સ્વરૂપ નથી), તે તો આ જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે આમ છે. (અર્થાત્ જ્ઞાન સ્વભાવથી જ સ્વ-પરને જાણે છે એવું જ છે.) તો પછી લોકો (અજ્ઞાની = મિથ્યાત્વી લોકો) જ્ઞાનને અન્ય દ્રવ્ય સાથે સ્પર્શ હોવાની માન્યતાથી આકુળ બુદ્ધિવાળા થયા થકા (અર્થાત્ અજ્ઞાની = મિથ્યાત્વી જ્ઞાન પરને જાણે તો જ્ઞાનને પર સાથે સ્પર્શ થઈ ગયેલ માનીને આકુળ બુદ્ધિવાળા થયા થકા) તત્ત્વથી (શુદ્ધ સ્વરૂપથી) (અર્થાત્ સમ્યગ્દર્શનથી) શા માટે શ્રુત થાય છે?'' અર્થાત્ આવું સમ્યક સ્વરૂપ છે સ્વ-પર પ્રકાશકનું, જેને અન્યથા સમજતાં/માનતાં મિથ્યાત્વનો જ દોષ આવે છે કે જે તેને અનંત સંસારનું કારણ થાય છે.
શ્લોક રરર :- “પૂર્ણ (અર્થાત્ એક ભાગ શુદ્ધ અને બીજો ભાગ અશુદ્ધ એમ નહિ પરંતુ જે પ્રમાણના વિષયરૂપ પૂર્ણ આત્મા છે તે જ પૂર્ણ આત્મા દ્રવ્યદષ્ટિએ પૂર્ણ શુદ્ધરૂપ પ્રાપ્ત થાય છે), એક (અર્થાત્ તેમાં કોઈ ભાગ નથી અથવા ભેદ નથી એવો), અય્યત અને શુદ્ધ (અર્થાત્ દરેક સમયે એવો ને એવો શુદ્ધ ભાવે પરિણમતો, પ્રગટ થતો અર્થાત્ વિકાર રહિત) એવું જ્ઞાન જેનો મહિમા છે (અર્થાત્ જ્ઞાન તે આત્માનું લક્ષણ હોઈને, આત્મા માત્ર જ્ઞાનથી જ ગ્રાહ્ય છે અને તે જ તેનો મહિમા છે) એવો આ જ્ઞાયક આત્મા (અર્થાત્ જ્ઞાન સામાન્યરૂપ પરમ પરિણામિક ભાવ કે જે સર્વે ગુણોના અર્થાત્ દ્રવ્યના સહજ પરિણમનરૂપ શુદ્ધાત્મા છે તે - જાણવાવાળો છે) તે (અસમીપવર્ત) કે આ (સમીપવર્ત) શેય પદાર્થોથી (અર્થાત્ પર પદાર્થને જાણતાં) જરા પણ વિક્રિયા પામતો નથી, જેમ દીવો પ્રકાશ્ય પદાર્થોથી વિક્રિયા પામતો નથી તેમ (અર્થાત્ પરને જાણતાં આત્માનું જરા પણ અનર્થ થતું નથી અને બીજું જ્ઞાન સામાન્ય ભાવ પરને જાણવારૂપ ક્ષયોપશમભાવે પરિણમે છે છતાં તે પોતાનું જ્ઞાન સામાન્યપણું અર્થાત્ પરમ પરિણામિક