SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ સમ્યગ્દર્શનની રીત દ્રવ્યદષ્ટિથી જોતાં – ગ્રહણ કરતાં જ તેમાં રહેલ વિભાવભાવરૂપ અશુદ્ધિ દષ્ટિમાં આવતી જ ન હોવાથી સમ્યક પ્રકારે નાશ પામે છે અર્થાત્ અત્યંત ગૌણ થઈ જાય છે અને તેમાં છુપાયેલ આત્મજ્યોતિ અર્થાત્ શુદ્ધાત્મા અનુભવમાં આવે છે, તેવો ભાવ) બંધ-મોક્ષની રચનાથી દૂર વર્તતો (અર્થાત્ ત્રિકાળ શુદ્ધ રૂપભાવ - સામાન્ય ભાવ) શુદ્ધ શુદ્ધ (અર્થાત્ જે રાગાદિક મળ તેમ જ આવરણ - બંનેથી રહિત છે એવો), જેનું પવિત્ર અચળ તેજ નિજ રસના (જ્ઞાનરસના, જ્ઞાનચેતનારૂપી રસના) ફેલાવથી ભરપૂર છે એવો અને જેનો મહિમા ટંકોત્કીર્ણ (અર્થાત્ એવોને એવો જ ઊપજતો હોવાથી) પ્રગટ છે એવો આ જ્ઞાનકુંજ આત્મા પ્રગટ થાય છે (અર્થાત્ અનુભવમાં આવે છે).” ગાથા ૩૦૮ : ગાથાર્થ :- “જે દ્રવ્ય જે ગુણોથી ઊપજે છે તે ગુણોથી તેને અનન્ય જાણ; જેમ જગતમાં કડાં આદિ પર્યાયોથી સુવર્ણ અનન્ય છે તેમ.” અર્થાત્ જે પર્યાય છે તે દ્રવ્યનો જ બનેલ છે અર્થાત્ પર્યાયરૂપ વિશેષ ભાવને ગૌણ કરતાં જ સાક્ષાત્ દ્રવ્ય હાજર જ છે તેથી જ પર્યાયદષ્ટિમાં જે પર્યાય છે તે જ દ્રવ્યદષ્ટિએ માત્ર દ્રવ્ય જ છે, ત્યાં પર્યાય અત્યંત ગૌણરૂપે હોવાથી જણાતો જ નથી; આ જ રીત છે શુદ્ધ દ્રવ્યની પ્રાપ્તિની. ગાથા ૩૦૯ : ગાથાર્થ :- “જીવ અને અજીવનાં જે પરિણામો સૂત્રમાં દર્શાવ્યાં છે, તે પરિણામોથી તે જીવ અથવા અજીવને અનન્ય જાણ.” આ જ કારણ છે કે દષ્ટિનો (સમ્યગ્દર્શનનો) વિષય કે જે પર્યાયથી રહિત દ્રવ્ય કહેવાય છે તેને પ્રાપ્ત કરવાની વિધિ ગાથા ૨૯૪માં પ્રજ્ઞારૂપ છીણી = ભગવતી પ્રજ્ઞા = જ્ઞાનસ્વરૂપ બુદ્ધિ = તત્ત્વના નિર્ણય સહિતની બુદ્ધિ કહી. તેથી કરીને વિભાવરૂપ ભાવને ગૌણ કરતાં જ શુદ્ધ નયરૂપ = સમયસારરૂપ આત્મા પ્રાપ્ત થાય છે. ગાથા ૩૧૮ : ગાથાર્થ :- “નિર્વેદપ્રાપ્ત (વૈરાગ્યને પામેલા) જ્ઞાની મીઠા-કડવા (સુખદુઃખરૂપ) બહુવિધ કર્મફળને જાણે છે. તેથી તે અવેદક છે.” અર્થાત્ તેને કર્મ-નોકર્મ અને તેના આશ્રયથી થવાવાળા ભાવોમાં “હુંપણું નહિ હોવાથી અર્થાત્ તે ભાવોથી પોતાને ભિન્ન અનુભવતો હોવાથી તે વિશેષ ભાવોને અર્થાત્ સુખદુ:ખને જાણે છે છતાં અવેદક છે. શ્લોક ૨૦૫:- “આ અહંત મતના અનુયાયીઓ અર્થાત્ જૈનો પણ આત્માને, સાંખ્યમતીઓની જેમ, (સર્વથા) અકર્તા ન માનો; ભેદજ્ઞાન થયાં પહેલાં તેને (અર્થાત્ મિથ્યાદષ્ટિને) નિરન્તર કર્તા માનો, અને ભેદશાન થયા પછી (અર્થાત્ સમ્યગ્દષ્ટિને) ઉદ્ધત જ્ઞાનધામમાં નિશ્ચિત એવા (અર્થાત્ માત્ર સામાન્ય જ્ઞાનમાં સ્થિત એવા) આ સ્વયં પ્રત્યક્ષ આત્માને કર્તાપણા વિનાનો, અચળ, એક પરમ જ્ઞાતા જ દેખો.” અર્થાત્ જ્ઞાન સામાન્યરૂપ શુદ્ધાત્મા માત્ર જ્ઞાતા જ છે, તે સામાન્ય ભાવ પરમ અકર્તા છે, પરંતુ જેને તે ભાવનો અનુભવ નથી એવો અજ્ઞાની જે પોતાને અકર્તા માને તો તે એકાંત પાખંડમતરૂપ સાંખ્યમતી જેવો
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy