________________
૧૪
સમ્યગ્દર્શનની રીત
જાણ્યે-અજાણ્યે અનેક લોકોને પણ સંસારના અંતથી દૂર રાખે છે, જે વાત અત્યંત કરુણા ઉપજાવે તેવી છે. તેથી કરીને અત્રે પ્રથમ અમે વસ્તુવ્યવસ્થા ઉપર વિસ્તારથી પ્રકાશ પાથરીએ છીએ.
હવે પછી અમે નિશ્ચય સમ્યગ્દર્શનની વિધિ પણ સમજાવવાનો પ્રયાસ કરીશું. પરંતુ કોઈ એવું ન સમજે કે અમે જરાક પણ વ્યવહાર ધર્મના વિરોધી છીએ. વ્યવહાર ધર્મ જે આપણને નિશ્ચય તરફ લઈ જાય એ તમામ વ્યવહાર, ‘ધર્મ’ સંજ્ઞા પામવાને અધિકારી છે. આવી અનેકાંતમય વસ્તુવ્યવસ્થા છે જિનશાસનની, એ આપણે ક્યારેય ભૂલવા જેવું નથી. આ જ વિધિ છે તત્ત્વના નિર્ણયની, જે અમે આગળ સમજાવવાનો પ્રયાસ કરીશું. હવે અમે દ્રવ્ય-ગુણની યથાર્થ વ્યવસ્થા સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ.
C$