SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ સમ્યગ્દર્શનની રીત ૩૭ સમયસારના અધિકારોનું વિહંગાવલોકન હવે અમે વિસ્તારરુચિ જીવો માટે સમયસારશાસ્ત્રના સર્વે અધિકારોનું વિહંગાવલોકન કરીશું, જેમાં સર્વે અધિકારોનો માત્ર સાર જ જણાવીશું, માટે વિસ્તારરુચિ જીવોએ ઉપરોક્ત પૂર્વરંગમાં વિસ્તારથી જણાવેલ ભાવ અનુસાર અને સર્વે અધિકારોના અત્રે જણાવેલ સાર અનુસાર તે સર્વે અધિકારોનો અભ્યાસ કરવો, અન્યથા નહિ અર્થાત્ સ્વચ્છેદે નહિ; કારણ કે સ્વચ્છંદ જ આપણા અત્યાર સુધીના અનંત સંસારનું કારણ છે કે જેને હવે પછી ક્યારેય પોષવો નહિ એવી અમારી સર્વે જનોને નમ્ર વિનંતિ છે. ૧. જીવ-અજીવ અધિકાર - આ અધિકાર જીવને, અજીવરૂપ કર્મ-નોકર્મ અને તેનાં લક્ષે થતાં પોતાના વિભાવભાવોથી ભેદજ્ઞાન કરાવવા અર્થે છે અર્થાત્ તે સર્વે ભાવો જેવા કે – રસ, ગંધ, સ્પર્શ, શરીર, સંસ્થાન, સંહનન, રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ, કર્મ, પર્યામિ, વર્ગ, વર્ગણા, સ્પર્ધકો, અધ્યાત્મસ્થાન, અનુભાગસ્થાન, મન-વચન કાયાના યોગો, બંધસ્થાનો, ઉદયસ્થાનો, માર્ગણા, સ્થિતિબંધ સ્થાન, સંકલેશ સ્થાનો, વિશુદ્ધિ સ્થાનો, જીવસ્થાનો વગેરે જીવને નથી, એમ કહ્યું છે, અને પ્રશ્ન થાય કે તે ભાવો જીવને કેમ નથી ? ઉત્તર- તે ભાવો બે પ્રકારના છે - એક તો પુદ્ગલરૂપ છે અને બીજા જીવના વિશેષભાવરૂપ છે. તેમાં જે પુલરૂપ છે તે તો જીવથી પ્રગટ ભિન્ન જ છે અને જે જીવના વિશેષભાવરૂપ છે તે ભાવોમાં હુંપણું કરવા જેવું ન હોવાથી અર્થાત્ તે સર્વ ભાવોથી ભિન્ન એવો ‘શુદ્ધાત્મા’ એ સમ્યગ્દર્શનનો વિષય હોવાની અપેક્ષાએ, શુદ્ધાત્મારૂપ જીવરાજામાં આ ભાવો નથી, તેમ કહ્યું છે. આવું સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવવા અર્થે કહ્યું છે અન્યથા નહિ, એકાંતે નહિ, તેથી જેમ છે તેમ સમજીને માત્ર શુદ્ધાત્મા કે જે આ સર્વે ભાવોથી ભિન્ન છે, તેમાં જ “હુંપણું કરતાં, સ્વાત્માનુભૂતિપૂર્વક સમ્યગ્દર્શન પ્રગટ થઈ શકે છે અને ત્યાર પછી જ જ્ઞાન મધ્યસ્થ થતાં અર્થાત્ પ્રમાણરૂપ થતાં જ જીવને જેમ છે તેમ જાણે છે અને વિવેકે કરી આત્મસ્થિરતારૂપ પુરુષાર્થપૂર્વક સર્વ કર્મનો ક્ષય કરવા પ્રત્યે કાર્યરત થાય છે અર્થાત્ સર્વ કર્મનો ક્ષય કરવા વ્રત-તપ-ધ્યાનરૂપ પુરુષાર્થ આદરે છે, આ જ મોક્ષમાર્ગ છે અર્થાત્ આ જ વિધિ છે મોક્ષપ્રાપ્તિની. લોક ૪૩ :- “આમ પૂર્વોક્ત જુદાં લક્ષણને લીધે જીવથી અજીવ ભિન્ન છે તેને અજીવને) તેની
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy