SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ સમ્યગ્દર્શનની રીત અશુદ્ધ ભાવોને ગૌણ કરતાં જ) બહાર કાઢી પ્રગટ કરવામાં આવી છે. માટે હવે હે ભવ્ય જીવો ! હંમેશાં આને અન્ય દ્રવ્યોથી (અર્થાત્ પુદ્ગલરૂપ કર્મ-નોકર્મથી) તથા તેમનાથી થતાં નૈમિત્તિક ભાવોથી (અર્થાત્ ઔદયિક ભાવોથી) ભિન્ન (અર્થાત્ અમે પૂર્વે જે બે પ્રકારે ભેદજ્ઞાન કરવાનું જણાવ્યું છે તેમ); એકરૂપ દેખો. આ (જ્યોતિ = પરમ પરિણામિક ભાવ), પદે પદે અર્થાત પર્યાયે પર્યાયે એકરૂપ ચિલ્ચમત્કારમાત્ર ઉદ્યોતમાન છે (અર્થાત્ દરેક પર્યાયમાં પૂર્ણ જીવ વ્યક્ત થતો જ હોવાથી અર્થાત્ પર્યાયમાં પૂર્ણ દ્રવ્ય હોવાથી જ આમ જણાવેલ છે. અર્થાત્ પર્યાય જ વર્તમાન જીવદ્રવ્ય છે, એમ જે અમે પૂર્વે જણાવેલ છે તે જ સમજ અને દઢ થાય છે.).” અત્રે એ સમજવું જરૂરી છે કે આગમ અને અધ્યાત્મમાં જરાય વિરોધ નથી. કારણ કે આગમથી જીવનું સ્વરૂપ જેમ છે તેમ સમજીને અર્થાત્ જીવને સર્વે નયથી જાણીને અધ્યાત્મરૂપ શુદ્ધ નય વડે ગ્રહણ કરતાં જ સમ્યગ્દર્શનરૂપ આત્મજ્યોતિ પ્રગટ થાય છે. પ્રાપ્ત થાય છે અર્થાત્ પર્યાયમાં વિશેષભાવને ગૌણ કરતાં જ એકરૂપ-અભેદરૂપ ચિન્ચમત્કારમાત્ર જ્યોતિ અર્થાત્ સામાન્ય ભાવરૂપ પરમ પરિણામિક ભાવ હાજર જ છે કે જે સમ્યગ્દર્શનનો વિષય છે અને તેમાં જ “હુંપણું કરતાં સ્વાત્માનુભૂતિ પ્રગટ થઈ શકે છે; આ જ સમ્યગ્દર્શનની રીત છે. શ્લોક ૯ :- “આચાર્ય શુદ્ધ નયનો અનુભવ કરી કહે છે કે, આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધ નય (એટલે કે જીવમાં ભેદરૂપ-દ્રવ્ય-ગુણ-પર્યાય-ઉત્પાદ-વ્યય-ધ્રુવ અથવા ઉદય-ઉપશમ-ક્ષયોપશમરૂપ ભાવોને ગૌણ કરીને પરમ પારિણામિક ભાવરૂપ, સમયસારરૂપ શુદ્ધ નય)નો વિષયભૂત ચૈતન્ય-ચમત્કારમાત્ર (જ્ઞાનમાત્ર = પરમ પરિણામિક ભાવમાત્ર) તેજ:પુંજ આત્મા, તેનો અનુભવ થતાં નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, (અર્થાત્ સર્વે નયો વિકલ્પરૂપ જ છે. જ્યારે પરમ પારિણામિક ભાવ સર્વે વિશેષભાવરહિત હોવાથી અર્થાત્ તેમાં કોઈ જ વિકલ્પ ન હોવાથી તેમાં નાયો-નિક્ષેપો-સ્વ-પરરૂપ ભાવો નથી. ત્યાં માત્ર એક અભેદભાવમાં જ હુંપણું છે, તેથી) પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે, અને નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે તે અમે જાણતા નથી. આથી અધિક શું કહીએ ? કૅત જ પ્રતિભાસિત થતું નથી. (સ્વાત્માનુભૂતિના કાળમાં માત્ર હુંનો જ આનંદ-વેદન હોય છે ત્યાં સ્વ-પરરૂપ કોઈ દૈત હોતું જ નથી.) શ્લોક ૧૦:- “શુદ્ધ નય આત્માના સ્વભાવને પ્રગટ કરતો (“સ્વ'ના ભવનરૂપ = સ્વનું સહજ પરિણમનરૂપ = પરમ પારિણામિક ભાવરૂપે પ્રગટ કરતો) ઉદયરૂપ થાય છે, તે આત્મસ્વભાવને કેવો પ્રગટ કરે છે ? (એટલે કે તે પ્રગટ કરેલો આત્મસ્વભાવ કેવો છે?) પરદ્રવ્ય, પરદ્રવ્યના ભાવો તથા પરદ્રવ્યનાં નિમિત્તથી થતાં પોતાના વિભાવો એવા પરભાવોથી ભિન્ન કરે છે. (અર્થાત્ પરદ્રવ્યતા પ્રગટ ભિન્ન છે તેથી તેની સાથે તેના લક્ષણથી ભેદજ્ઞાન કરે છે અને પરદ્રવ્યનાં નિમિત્તથી થતાં પોતાના જે વિભાવો છે તે જીવરૂપ છે તેથી તે વિભાવોને ગૌણ કરે છે અને વિભાવોમાં છુપાયેલી આત્મજ્યોતિને મુખ્ય કરે છે.) વળી
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy