SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર અનુસાર સમ્યગ્દર્શનનો વિષય ૧૭૭ ઉદય-ઉપશમ-ક્ષયોપશમ-ક્ષાયિક-પારિણામિક એવા પાંચ ભાવરૂપે પ્રરૂપવામાં આવે છે) એવા આ નવ તત્ત્વો - જેમના લક્ષણ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ છે - તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થનયથી એકપણું પ્રાપ્ત કરી (અર્થાત્ તે સર્વે તત્ત્વો રૂપે જે આત્મા પરિણમેલ છે તે બાહ્ય નિમિત્તના ભાવ અથવા અભાવથી પરિણમેલ છે. તે નવ તત્ત્વોરૂપ પરિણમેલ એવા આત્મામાં વિશેષ ભાવોને ગૌણ કરતાં જ, એક અભેદ એવો સહજ પરિણમનરૂપ આત્મા કે જે પરમ પરિણામિક ભાવરૂપ છે = સમયસારરૂપ છે તે પ્રાપ્ત થાય છે. તેને પ્રાપ્ત કરતાં જ), શુદ્ધ નયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ, કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે – તેની પ્રાપ્તિ હોય છે (અર્થાત્ સમ્યગ્દર્શનરૂપ – સમયસારરૂપ આત્માની પ્રાપ્તિ હોય છે.) (અર્થાત્ શુદ્ધ નયથી નવ તત્ત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે તે હેતુથી આ નિયમ કહ્યો). ત્યાં, વિકારી થવા યોગ્ય (આત્મા) અને વિકાર કરનાર (કર્મો) – એ બંને પુણ્ય છે.... કારણ કે એકને જ (આત્માને) પોતાની મેળે (સ્વભાવથી) પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષની ઉપપત્તિ (સિદ્ધિ – તે ભાવરૂપ આત્માનું પરિણમવું) બનતી નથી. તે બંને જીવ (ભાવકર્મ) અને અજીવ (દ્રવ્યકર્મ) છે (અર્થાત્ તે બબ્બેમાં એક જીવ છે ને બીજું અજીવ છે). બાહ્ય (સ્થૂલ) દષ્ટિથી જોઈએ તો જીવ-પુદ્ગલના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને એકપણે અનુભવ કરતાં આ નવ તત્ત્વો ભૂતાર્થ છે, સત્યાર્થ છે (એટલે કે આગમમાં નિરૂપિત પાંચ ભાવો યુક્ત જીવમાં આ નવ તત્ત્વો ભૂતાર્થ છે, સત્યાર્થ છે), અને એક જીવદ્રવ્યના સ્વભાવ ('સ્વ'નો ભાવ = સ્વ'નું સહજ પરિણમનરૂપ ભાવ = પરમ પરિણામિક ભાવ = કારણશુદ્ધપર્યાય = કારણશુદ્ધ પરમાત્મારૂપ ભાવ)ની સમીપ જઈને અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. (‘સમયસાર” જેવા અધ્યાત્મ ગ્રંથમાં નિરૂપિત શુદ્ધાત્મારૂપ જીવમાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે.) (જીવનાં એકાકાર સ્વરૂપમાં તેઓ નથી, તેથી આ નવ તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે...” આ જ ગાથાના ભાવ શ્લોક ૮માં વિશેષરૂપે સમજવેલ છે. શ્લોક ૮:- “આ રીતે નવ તત્ત્વોમાં ઘણા કાળથી છુપાયેલી આ આત્મજ્યોતિને (અર્થાત્ આત્માના ઉદય-ક્ષયોપશમરૂપ જે ભાવો છે તે સર્વે જીવોને અનાદિના હોય છે અને જે જીવ અજ્ઞાની છે તે, તે જ ભાવોમાં રમે છે છતાં પણ દરેક જીવમાં અનાદિથી પરમ પરિણામિક ભાવરૂપ છુપાયેલી આત્મજ્યોતિ મૌજૂદ જ હોય છે, હાજર જ હોય છે. માત્ર ઉદય-ક્ષયોપશમરૂપ ભાવોને ગૌણ કરીને તેનું લક્ષ કરતાં જ તે પ્રાપ્ત થાય છે અર્થાત્ તે નવ તત્ત્વને ગૌણ કરતાં જ, જે સામાન્ય જીવત્વભાવ શેષ રહે છે તે ત્રણે કાળે શુદ્ધ હોવાથી કહ્યું છે કે નવ તત્ત્વમાં ઘણાં કાળથી છુપાયેલી આત્મજ્યોતિને), જેમ વર્ષોના સમૂહમાં છુપાયેલા એકાકાર સુવર્ણને બહાર કાઢે તેમ (અર્થાત્ અશુદ્ધાત્મામાંથી અશુદ્ધિને ગૌણ કરતાં જ, તેમાં છુપાયેલ એકાકાર = અભેદ શુદ્ધાત્મા સાક્ષાત્ થાય છે તેમ), શુદ્ધ નયથી (અર્થાત્ ઉપર કહ્યા પ્રમાણે
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy