SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ સમ્યગ્દર્શનની રીત હોય છે તે માનવું આવશ્યક છે, અન્યથા તે જિનમતબાહ્ય જ કહેવાશે. કેમ કે જો એવું હોત તો કુંÉદાચાર્ય જેવા આચાર્ય ભગવંત ફરી ફરી શુદ્ધાત્માનો અનુભવ કરીને જ્ઞાની થવાનું ન કહેત, આ વાત અમે પણ અમારા અનુભવના આધારે કહી રહ્યાં છીએ. શ્લોક ૫ :- ગાથા ૧૧ અને ૧રને જ દઢ કરાવે છે, કે જે ભેદરૂપ વ્યવહારનય છે તે અજ્ઞાનીને માત્ર સમજાવવા માટે છે, પરંતુ તેમ ભેદરૂપ આત્મા છે નહીં. માટે આશ્રય તો અભેદરૂપ આત્માનો = શુદ્ધાત્માનો કે જેમાં પરદ્રવ્યોથી થતાં ભાવોને ગૌણ કરેલ છે, તેનો જ કરવાનો છે. તે આત્મા જ ઉપાદેય છે અર્થાત્ દ્રવ્યપર્યાયરૂપ ભેદ અથવા પર્યાયના નિષેધરૂપ ભેદનો જેઓ આશ્રય કરે છે તેઓને અભેદ આત્માનો અણસાર પણ આવતો નથી અર્થાત્ તેઓ ભેદમાં જ રમે છે અર્થાત્ તેઓ વિકલ્પમાં જ રમે છે અને ભેદનો જ આદર કરે છે, કારણ કે તેઓને નિષેધ વિનાનો દષ્ટિનો વિષય જ માન્ય હોતો નથી, આવી છે કરુણાજનક પરિસ્થિતિ. લોક૬ :- અત્રે આચાર્ય ભગવંત જણાવે છે કે જે નવ તત્ત્વની પરિપાટી છે તેને છોડીને (અર્થાત્ ગૌણ કરીને) જેતા – તે ભાવને અનુભવતાં જ આત્મા પ્રાપ્ત થાય છે. શ્લોક ૭માં આચાર્ય ભગવંત ગાથા ૧૩નો જ ભાવ વ્યક્ત કરે છે કે નવ તત્ત્વમાં વ્યાસ એવી આત્મજ્યોતિ (અર્થાત્ પરમ પારિણામિક ભાવ) નવ તત્ત્વોને ગૌણ કરતાં જ એક અખંડ આત્મજ્યોતિ (અર્થાત્ પરમ પરિણામિક ભાવ) પ્રાપ્ત થાય છે. ગાથા ૧૩: ગાથાર્થ :- “ભૂતાર્થ નયથી જાણેલ (અર્થાત્ અભેદ એવા શુદ્ધ નયથી જાણેલ) જીવ, અજીવ વળી પુણ્ય, પાપ તથા આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ - એ નવ તત્ત્વ સમ્યત્વ છે.” અર્થાત્ અભેદ એવા શુદ્ધ નયથી જે એમ જાણે છે કે આ સર્વે નવ તત્ત્વરૂપ પરિણમેલ જીવ વિશેષ અપેક્ષાએ નવ તત્ત્વરૂપ ભાસે છે, પણ અભેદ શુદ્ધ નય દ્વારા આ નવ તત્ત્વ જેના બનેલા છે તે એકમાત્ર સામાન્યભાવરૂપ અર્થાત્ અભેદ શુદ્ધ જીવત્વભાવરૂપ “શુદ્ધાત્મા' જ છે અને તેવી રીતે જે નવ તત્ત્વને જાણે છે તેને જ સમ્યગ્દર્શન છે અર્થાત્ તે જ સમ્યત્વ છે; આ ગાથા ‘સમયસારના સારરૂપે છે. સર્વ અધિકારોનો ઉલ્લેખ આ ગાળામાં કરી સર્વે અધિકારોના સારરૂપે સમ્યગ્દર્શનરૂપ આત્માનું સ્વરૂપ સમાવેલ છે. ગાથા ૧૩ : ટીકા :- “આ જીવાદિ નવ તત્ત્વો ભૂતાર્થનથી જાણ્યે સમ્યગ્દર્શન જ છે. (એ નિયમ કહ્યો) (ભૂતાર્થનથી એટલે કે અભેદનયથી = આ જીવાદિ નવ તત્ત્વોરૂપે આત્મા જ પરિણમે છે તેથી તે નવ તત્ત્વોને ગૌણ કરતાં જ શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે = સમ્યગ્દર્શન થાય છે); કારણ કે તીર્થની (વ્યવહારધર્મની) પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ (વ્યવહાર) નયથી (આ નવ તત્ત્વો) કહેવામાં આવે છે (એટલે કે જે જીવ અપરમભાવે સ્થિત છે – અજ્ઞાની છે તેને સ્વેચ્છની ભાષામાં એટલે કે આગમની ભાષામાં જીવને
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy