________________
૧૬૫
૩૬
સમયસાર અનુસાર સમ્યગ્દર્શનનો વિષય
શ્રી સમયસાર પૂર્વરંગ : ગાથા ૨ : ગાથાર્થ :- “હે ભવ્ય ! જે જીવ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે તેને નિશ્ચયથી સ્વસમય જાણ (અર્થાત્ જે દર્શન-જ્ઞાન-ચારિત્ર અને અનંતા ગુણોના સહજ પરિણમનરૂપ પરમ પારિણામિક ભાવમાં જ હુંપણું' સ્થાપીને તેમાં જ સ્થિત થયેલ છે તે સ્વસમય અર્થાત્ સમ્યગ્દષ્ટિ જણ); અને જે જીવ પુદ્ગલ કર્મોના પ્રદેશોમાં સ્થિત થયેલ છે તેને પરસમય (અર્થાત્ જે વિભાવભાવ સહિતના જીવમાં “હુંપણું કરે છે તેને મિથ્યાત્વી જીવી જાણ.”
અત્રે સમ્યગદર્શનનો વિષય જણાવ્યો છે, એમાં સમજવાનું એ છે કે અરીસાના દષ્ટાંતથી જેમ અરીસાના સ્વચ્છત્વરૂપ પરિણમનમાં જે હુંપણું કરે છે તે સ્વસમય અથાત્ પ્રતિબિંબોને ગૌણ કરીને માત્ર અરીસાને જાણવો, જેમ કે આત્માના સહજ પરિણમનરૂપ પરમ પરિણામિક ભાવ = જ્ઞાન સામાન્ય ભાવ = નિષ્ક્રિય ભાવમાં પ્રતિબિંબ રૂપે બાકીના ચાર ભાવો રહેલ છે, તો તે ચાર ભાવોને ગૌણ કરીને માત્ર સ્વચ્છત્વરૂપ પરમ પરિણામિક ભાવ = સ્વસમયમાં જ “હુંપણું કરવું. આમ કઈ રીતે કરી શકાય છે ? તો તેની રીત આચાર્ય ભગવંત ગાથા ૧૧માં જણાવ્યું છે કે કતકફળરૂપ બુદ્ધિથી આમ થઈ શકે એમ જણાવેલ છે. અને ગાથા ર૯૪માં પ્રજ્ઞાછીણી વડે આ જ પ્રક્રિયા કરવાનું જણાવેલ છે. અને સમજવાનું એ છે કે પર્યાયરહિતનું દ્રવ્ય એટલે કે આત્માના ચાર ભાવોને ગૌણ કરીને = રહિત કરીને પંચમ ભાવરૂપ દ્રવ્યની પ્રાપ્તિ કે જે કતકફળરૂપ બુદ્ધિથી અથવા પ્રજ્ઞારૂપી છીણીથી જ થઈ શકે તેમ છે અન્યથા નહીં. આચાર્ય ભગવંતે કોઈ ભૌતિક છીણીથી કે કપડાંનું ઉદાહરણ દઈને કાતરથી જીવમાં ભેદજ્ઞાન કરવાનું નથી કહ્યું, કારણ કે જીવ એક અભેદ-અખંડ-જ્ઞાન ઘનરૂપ દ્રવ્ય છે. માટે તે પર્યાયરહિતનું દ્રવ્ય પ્રાપ્ત કરવા માટે પ્રજ્ઞાછીણીરૂપ બુદ્ધિથી ચાર ભાવને ગૌણ કરી શેષ રહેલ એકમાત્ર ભાવ કે જે પરમ પારિણામિક ભાવરૂપ છે કે જે સદા એવો ને એવો જ ઊપજે છે, તેમાં હુંપણું કરવાનું કહ્યું છે, તેને જ સ્વસમય’ કહ્યો છે કે જેમાં હુંપણું કરવાથી જ સમ્યગ્દર્શન પ્રગટે છે. અને સાથે જ સમ્યકજ્ઞાન રૂપથી એ જ “સ્વસમયનો અનુભવ થાય છે, જેને આચાર્ય ભગવંતોએ આત્માની અનુભૂતિ જણાવી છે.
ગાથા ૨ : ટીકા :- આચાર્ય ભગવંત ટીકામાં જણાવે છે કે, “...આ જીવ પદાર્થ કેવો છે? સદાય