SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ સમ્યગ્દર્શન અને મોક્ષમાર્ગ ૧૬૩ અહીં સુધી જે ભાવો આપણે દૃઢ કર્યા તે એ છે કે, સમ્યગ્દર્શન અને પછીથી મોક્ષમાર્ગ અને મુક્તિ માટે દરેકે લક્ષમાં લેવા જેવી કોઈ વસ્તુ હોય, તો તે છે સમ્યગ્દર્શનનો વિષય કે જે પરમ પારિણામિક ભાવરૂપ અર્થાત્ આત્માના સહજ પરિણમનરૂપ શુદ્ધાત્મા છે કે જે મુક્તિનું કારણ હોઈને, કારણ સમયસાર અથવા કારણશુદ્ધ પર્યાય તરીકે પણ જણાવેલ છે, તેના ઘણાં નામો પ્રયોજવામાં આવે છે; પરંતુ તેમાંથી શબ્દો નહિ પકડતાં, એકમાત્ર શુદ્ધાત્મારૂપ ભાવ જેમ કહ્યો છે તેમ લક્ષમાં લેવો આવશ્યક છે, કારણ કે તેના વગર મોક્ષમાર્ગમાં પ્રવેશ જ નથી. આ કારણે ભેદજ્ઞાન કરાવવા, આધ્યાત્મિક શાસ્ત્રો તેને ‘સ્વતત્ત્વ’ કે ‘સ્વભાવ’રૂપ આત્મા માને છે અને બાકીના જે આત્માના તમામ ભાવો છે તેનો આત્મામાં ‘નકાર’ કરે છે, તેને જ ‘નેતી નેતી’ રૂપ પણ કહેવાય છે અર્થાત્ નિશ્ચયનયરૂપ નકાર પણ કહેવાય છે. જેથી કરીને સમયસાર અથવા નિયમસાર જેવાં આધ્યાત્મિક શાસ્ત્રોનો પ્રાણ – હાર્દ માત્ર આ શુદ્ધાત્મા જ છે; કારણ કે તે શાસ્ત્રો ભેદજ્ઞાનનાં શાસ્ત્રો છે કે જેથી કરી મુમુક્ષુ જીવો પોતાના વિભાવભાવથી ભેદજ્ઞાન કરી, ‘શુદ્ધાત્મા’નો અનુભવ કરે અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરી મોક્ષમાર્ગમાં આગળ વધી પરંપરાએ મુક્ત થાય, એ જ આ શાસ્ત્રનો એકમાત્ર ઉદ્દેશ છે. તેથી આ શાસ્ત્રોને આ ઉદ્દેશથી અર્થાત્ આ અપેક્ષાએ સમજવા અત્યંત આવશ્યક છે, નહિ કે એકાંતે. પ્રાયઃ મોટો વર્ગ આ ઉદ્દેશ્યને લોકો સમજી નહીં શકવાથી આવાં ઉત્તમ શાસ્ત્રોથી દૂર જ રહે છે અને બીજો વર્ગ આને એકાંતરૂપથી ગ્રહણ કરીને સ્વચ્છંદ રૂપે પરિણમે છે. પરંતુ આવાં શાસ્ત્રોને સમ્યકરૂપથી સમજીને પ્રરૂપણા કરવાવાળા, તો બહુ જ જૂજ (ઓછા) લોકો છે. - જેમ કે આ શાસ્ત્રો વાંચીને લોકો એમ કહેવા લાગે કે મારામાં તો રાગ છે જ નહીં, હું રાગ કરતો જ નથી, વગેરે અને તેઓ તેના ઉદ્દેશરૂપ ભેદજ્ઞાન ન કરતાં, તેનો જ આધાર લઈ સ્વચ્છંદે રાગદ્વેષરૂપે જ પરિણમે અને તે પણ જરાય અફસોસ વગર, આનાથી મોટી કરુણતાં શું હોય ? અર્થાત્ આનાથી મોટું પતન શું હોય ? અર્થાત્ આ મહાપતન જ છે. કારણ કે જે શાસ્ત્રો ભેદજ્ઞાન કરીને મુક્ત થવા માટેના છે, તેને લોકો એકાંતે શબ્દશઃ સમજીને-જાણીને સ્વચ્છંદે પરિણમી, પોતાના અનંત સંસારનું કારણ થાય અને તેઓ માને છે કે અમે બધું જ સમજી ગયા, અમે અન્યો કરતાં ઊંચા/મોટાં છીએ, કારણ કે અન્યોને તો
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy