________________
૧૫૮
સમ્યગ્દર્શનની રીત
એને અપરિણામી કહી શકાય, પરંતુ એને એકાંતે અપરિણામી ન માનવો. એમ માનવાથી અનર્થ થઈ જશે અને આપણું સંસાર પરિભ્રમણ વધી જશે.
શ્લોક ૨૯૯ :- ‘‘આત્માની આરાધનારહિત જીવને સાપરાધ (અપરાધી) ગણવામાં આવ્યો છે (તેથી) હું આનંદમંદિર આત્માને (શુદ્ધાત્માને) નિત્ય નમું છું.’’ અર્થાત્ આત્માના લક્ષ સિવાયની સર્વે સાધના-આરાધના અપરાધયુક્ત કહી, કારણ કે તેનું ફળ અનંત સંસાર જ છે.
આ રીતે નિયમસારશાસ્ત્રમાં નિયમથી કારણ સમયસારરૂપ નિજ શુદ્ધાત્મા કે જે પરમ પારિણામિક ભાવરૂપ અર્થાત્ સહજ પરિણમનરૂપ છે તેને જ જાણવાનું, તેમાં જ ‘હુંપણું’ કરવાનું, તેને જ ભજવાનું અને તેમાં જ સ્થિરતા કરવાનું કહ્યું છે; આ જ મોક્ષમાર્ગનો નિશ્ચિત નિયમ અર્થાત્ ક્રમ છે, તેથી તેને નિશ્ચિત નિયમનો સાર અર્થાત્ નિયમસાર કહ્યો છે.
G
2