SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમસાર અનુસાર ધ્યાન અને સમ્યગ્દર્શનનો વિષય શ્લોક ૨૪૩ :- ‘“જે જીવ અન્યવશ (અર્થાત્ સમ્યગ્દર્શન રહિત) છે તે ભલે મુનિવેશધારી હોય તો પણ સંસારી છે, નિત્ય દુઃખનો ભોગવનાર છે; જે જીવ સ્વવશ (અર્થાત્ સમ્યગ્દર્શન સહિત) છે તે જીવનમુકત છે, જિનેશ્વરથી કિંચિત્ ન્યૂન છે.’’ અર્થાત્ સમ્યગ્દર્શન સહિત મુનિમાં જિનેશ્વરદેવ કરતાં જરાક જ ઊણપ છે અર્થાત્ તેવાં મુનિ શીઘ્ર જ જિનેશ્વરપણું પામવા યોગ્ય છે અને સમ્યગ્દર્શન રહિત મુનિવેશધારીઓને પણ સૌપ્રથમમાં પ્રથમ સમ્યગ્દર્શન પામવાં જેવું છે, કારણ કે તેના વગર મોક્ષમાર્ગ જ શરૂ થતો નથી એવો ઉપદેશ પણ છે. ૧૫૩ શ્લોક ૨૪૪ :- ‘‘આમ હોવાથી જ જિનનાથના માર્ગને વિશે મુનિવર્ગમાં સ્વવશ મુનિ (અર્થાત્ સમ્યગ્દર્શન સહિત સમતાધારી મુનિ) સદા શોભે છે; અને અન્યવશ મુનિ નોકરના સમૂહોમાં રાજવલ્લભ નોકર સમાન શોભે છે.’’ અર્થાત્ સર્વ સંસારીજનરૂપ નોકરોમાં તે રાજવલ્લભ અર્થાત્ ઊંચી પદવીવાળા નોકરની જેમ શોભે છે તેનાથી વધારે નહિ, અર્થાત્ તેવાં મુનિ પણ ઊંચી પદવીવાળા સંસારી જ છે એમ જણાવીને સમ્યગ્દર્શનનો જ મહિમા સમજાવેલ છે કે જે એકમાત્ર સર્વે જીવોને કર્તવ્ય છે. જ શ્લોક ૨૪૫ :- ‘મુનિવર દેવલોકાદિના ક્લેશ પ્રત્યે રતિ તો અને નિર્વાણનાં કારણનું કારણ (અર્થાત્ નિર્વાણનાં કારણરૂપ નિશ્ચયચારિત્રનું કારણ એવાં સમ્યગ્દર્શનના વિષય) એવા સહજ પરમાત્માને ભજો (અર્થાત્ જે સમ્યગ્દર્શનનો વિષય છે તેવો પરમ પારિણામિક ભાવ કે જે આત્માનું સહજ પરિણમન છે અને તેથી જ તેને સહજ પરમાત્મારૂપ કહેવાય છે કે જેમાં ‘હુંપણું’ કરતાં સમ્યગ્દર્શન પ્રગટે છે કે જે નિશ્ચય ચારિત્રનું કારણ છે, તેથી આ સમ્યગ્દર્શનના વિષયને નિર્વાણના કારણનું કારણ કહેવાય છે) કે જે સહજ પરમાત્મા પરમાનંદમય છે, સર્વથા (અર્થાત્ ત્રણે કાળે-એકાંતે) નિર્મળ જ્ઞાનનું રહેઠાણ છે, નિરાવરણસ્વરૂપ છે અને નય-અનયના સમૂહથી (સુનયો તથા કુનયોના સમૂહથી અર્થાત્ વિકલ્પમાત્રથી) દૂર (અર્થાત્ નિર્વિકલ્પ) છે.’’ ગાથા ૧૪૫ : અન્વયાર્થ :- ‘‘જે દ્રવ્ય-ગુણ-પર્યાયોમાં (અર્થાત્ તેમના વિકલ્પોમાં) મન જોડે છે, તે પણ અન્યવશ છે; મોહાન્ધકાર રહિત શ્રમણો આમ કહે છે.'' અર્થાત્ ઉપર જણાવ્યા અનુસાર જે નિર્વિકલ્પ શુદ્ધાત્મા છે તેમાં જ ઉપયોગ લગાવવા જેવો છે અન્યથા નહિ. આ અપેક્ષાએ ભેદરૂપ વ્યવહાર હેય છે, તેનો ઉપયોગ વસ્તુનું સ્વરૂપ સમજાવવા માત્ર જ છે; જેમ કે દ્રવ્ય-ગુણ-પર્યાય અથવા ઉત્પાદ-વ્યય-ધ્રુવ અને અનંત ગુણો વગેરે; પરંતુ તે સર્વે ભેદો વિકલ્પરૂપ હોવાથી અને વસ્તુનું સ્વરૂપ અભેદ હોવાથી, ભેદરૂપ વ્યવહારથી વસ્તુ જેમ છે તેમ સમજીને ભેદમાં ન રહેતાં, અભેદમાં જ રમવાં જેવુ છે. અત્રે કોઈને વિકલ્પ થાય કે દૃષ્ટિનો વિષય તો પર્યાયથી રહિત દ્રવ્ય છે ને ?
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy