SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ સમ્યગ્દર્શનની રીત જ થઈ જાય), જે એકાંતે શુદ્ધ પ્રગટ થયું છે (અર્થાત્ જે સર્વથા શુદ્ધપણે સ્પષ્ટ જણાય છે અર્થાત્ જે ત્રણે કાળે શુદ્ધ જ હોય છે પરંતુ સમ્યગ્દર્શન થવાથી, તે એકાંતે શુદ્ધ અર્થાત્ ત્રણે કાળે શુદ્ધ જ છે, તે પ્રગટ થયો અર્થાત્ અનુભવમાં આવ્યો માટે પ્રથમથી તે શુદ્ધ જ હોવાં છતાં તેનો અનુભવ ન હોવાથી, અનુભૂતિની અપેક્ષાએ તે પ્રગટ થયું કહેવાય) અને જે સદા (ટંકોત્કીર્ણ ચૈતન્યસામાન્યરૂપ અર્થાત્ જ્ઞેયોને ગૌણ કરતાં જ જે જાણવા-જોવાવાળો શેષ રહે છે, તે ત્રણે કાળ તેવો ને તેવો જ જ્ઞાનસામાન્યરૂપ હોવાથી, ટંકોત્કીર્ણ કહેવાય છે; બીજી રીતે જ્ઞેય વિશેષ છે અને તે જેનું બનેલ છે અર્થાત્ જ્ઞાનનું, તેને સામાન્ય જ્ઞાન અર્થાત્ ચૈતન્ય સામાન્ય કહેવાય છે) નિજ મહિમામાં લીન હોવા છતાં સમ્યગ્દષ્ટિઓને ગોચર(અનુભૂતિમાં આવે) છે.'' શ્લોક ૨૧૬ :- ‘‘આ સ્વતઃસિદ્ધ જ્ઞાન (અર્થાત્ ઉપર જણાવ્યા અનુસારનું પરમ પારિણામિક ભાવરૂપ સામાન્ય જ્ઞાન) પાપપુણ્યરૂપી વનને બાળનારો અગ્નિ છે (અર્થાત્ અપૂર્વ નિર્જરાનું કારણ છે), મહા મોહાંધકારનાશક (અર્થાત્ મોહનો નાશ કરીને અરિહંત પદ અપાવનાર છે) અતિપ્રબળ તેજમય છે, વિમુક્તિનું મૂળ છે અને નિરુપાધિ મહાઆનંદસુખનું (અર્થાત્ અતિન્દ્રિય શાશ્વત સુખનું) દાયક છે. ભવભવનો ધ્વંશ કરવામાં નિપુણ (અર્થાત્ મુક્તિ અપાવનાર) એવા આ જ્ઞાનને હું નિત્ય પૂજું છું.’’ અર્થાત્ તેને નિત્ય ભાવું છું અને તેમાં જ સ્થિરતાનો પુરુષાર્થ કરું છું. શ્લોક ૨૨૦ :– ‘‘જે ભવભયના હરનારા આ સમ્યક્ત્વની, શુદ્ધ જ્ઞાનની અને ચારિત્રની ભવછેદક (અર્થાત્ આ સમ્યગ્દર્શન, શુદ્ધ જ્ઞાન અર્થાત્ સમ્યજ્ઞાન અને તેમાં જ સ્થિરતા કરવારૂપ ચારિત્રને ભવભયના હરનારા કહ્યાં છે અર્થાત્ મુક્તિદાતા કહ્યાં છે) અતુલ ભક્તિ નિરંતર કરે છે, તે કામક્રોધાદિ સમસ્ત દુષ્ટ પાપસમૂહથી મુક્ત ચિત્તવાળો જીવ – શ્રાવક હો કે સંયમી હો – નિરંતર ભક્ત છે, ભક્ત છે.’’ અર્થાત્ જૈન સિદ્ધાંત અનુસાર આવી અભેદ ભક્તિ જ કાર્યકારી છે અને તેથી તેવી જ ભક્તિ ઇચ્છવી. શ્લોક ૨૨૭ :- ‘‘આ અવિચલિત – મહાશુદ્ધ – રત્નત્રયવાળા, મુક્તિના હેતુભૂત નિરૂપમ – સહજ જ્ઞાનદર્શનચારિત્રરૂપ (અર્થાત્ જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે અનંત ગુણોનું સહજ પરિણમનરૂપ પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા), નિત્ય આત્મામાં (અર્થાત્ શુદ્ધાત્મા કે જે નિત્ય શુદ્ધરૂપ એવો ને એવો જ ઊપજે છે અર્થાત્ પરિણમે છે તેવા નિત્ય આત્મામાં) આત્માને ખરેખર સમ્યક પ્રકારે સ્થાપીને (અર્થાત્ તેનો જ અનુભવ કરીને અને તેનું જ ધ્યાન ધરીને) આ આત્મા ચૈતન્ય ચમત્કારની (સામાન્ય ચેતનારૂપ પરમ પારિણામિક ભાવની) ભક્તિ વડે નિરતિશય (અજોડ) ઘરને કે જેમાંથી વિપદાઓ દૂર થઈ છે અને જે આનંદથી ભવ્ય છે તેને – અત્યંત પ્રાપ્ત કરે છે અર્થાત્ સિદ્ધિરૂપી સ્ત્રીનો સ્વામી થાય છે.'' અર્થાત્ શુદ્ધાત્માના ધ્યાનથી જ અરિહંત થાય છે અને પછી સિદ્ધ થઈ મુક્ત થાય છે. ગાથા ૧૩૭ : ટીકાનો શ્લોક :- ‘‘આત્માપ્રયત્નસાપેક્ષ વિશિષ્ટ જે મનોગતિ (અર્થાત્ નોઇન્દ્રિરૂપ
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy