________________
૧૪૦
સમ્યગ્દર્શનની રીત
૩૨
નિયમસાર અનુસાર ધ્યાન અને સમ્યગ્દર્શનનો વિષય
આગળ આપણે નિયમસારની ગાથાઓ તથા શ્લોકો જોઈશું કે જેમાં સમ્યગ્દર્શનનો વિષય અને સમ્યગ્દષ્ટિનાં ધ્યાનનો વિષય, ઠરવાનો વિષય જણાવેલ છે.
-
ગાથા ૩૮ : અન્વયાર્થ ‘‘જીવાદિ બાહ્ય તત્ત્વ હેય છે; કર્મોપાધિજનિત ગુણપર્યાયોથી વ્યતિરિક્ત આત્મા આત્માને ઉપાદેય છે.’’ અત્રે જે જીવાદિ વિશેષરૂપ (અર્થાત્ પર્યાયરૂપ) તત્ત્વો હેય કહ્યાં છે અર્થાત્ કર્મોના નિમિત્તે થયેલ જીવના વિશેષભાવો(અર્થાત્ વિભાવપર્યાયો)ને હેયરૂપ જણાવેલ છે તેનો અર્થ એવો છે કે તે ભાવોમાં સમ્યગ્દર્શન માટે ‘હુંપણું’ નથી કરવાનું તે અપેક્ષાએ તે હેયરૂપ છે. જ્યારે તે પર્યાયો (અર્થાત્ પૂર્ણ દ્રવ્ય)માં છુપાયેલ સામાન્યભાવ અર્થાત્ પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા સમ્યગ્દર્શનનો વિષય હોવાથી આત્માને ઉપાદેય છે, તેમાં જ ‘હુંપણું’ કરવા યોગ્ય છે. કારણ કે તે ત્રિકાળી શુદ્ધભાવ છે અને શુદ્ધ દ્રવ્યાર્થિક નયના ચક્ષુથી આત્મા માત્ર તેટલો જ છે અને તેવો જ (શુદ્ધ જ) છે. તેથી આ શુદ્ધાત્મા સિવાયના તમામ ભાવો જીવમાં જ થતાં હોવાં છતાં, તે અન્યના લક્ષે થતાં હોવાથી, તેમાં સમ્યગ્દર્શનના અર્થે ‘હુંપણું’ (એકત્વ) કરવા જેવું નથી તેથી તે અપેક્ષાએ તેઓ જીવના ભાવ જ નથી તેમ પૂર્વે જણાવેલ છે, તે જ ભાવ આગળ ગાથામાં દર્શાવ્યો છે.
શ્લોક ૬૦ :- ‘‘સતતપણે અખંડ જ્ઞાનની (અર્થાત્ જે જ્ઞાન વિકલ્પવાળું છે તે ખંડ ખંડ છે તેથી તે જ્ઞાનાકારોને ગૌણ કરતાં જ અખંડ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને તે જ પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા કહેવાય છે.) સદ્ભાવનાવાળો આત્મા (અર્થાત્ ‘‘હું અખંડ જ્ઞાન છું’’ એવી સાચી ભાવના જેને નિરંતર વર્તે છે તે આત્મા) સંસારના ઘોર વિક્લ્પને પામતો નથી, પરંતુ નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરતો થકો પરપરિણતિથી દૂર, અનુપમ, અનઘ (દોષરહિત, નિષ્પાપ, મળરહિત) ચિન્માત્રને (ચૈતન્યમાત્ર આત્માને) પામે છે.’’ અર્થાત્ તે જીવ સમ્યગ્દર્શન પામે છે; તે જીવ આત્મજ્ઞાની થાય છે.
ગાથા ૪૩ : અન્વયાર્થ :- ‘‘આત્મા (પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા) નિર્દંડ, નિર્દે, નિર્મમ, નિઃશરીર, નિરાલંબ, નિરાગ, નિર્દોષ, નિર્મૂઢ અને નિર્ભય છે.’’
શ્લોક ૬૪ :- ‘‘જે આત્મા ભવ્યતા વડે પ્રેરિત હોય, તે આત્મા ભવથી વિમુક્ત થવા (અર્થાત્