SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ સમ્યગ્દર્શનની રીત ૩૦ ધ્યાન વિશે હવે આપણે થોડુંક ધ્યાન વિશે સમજીને પછી આગળ વધીએ. કોઈ પણ વસ્તુ-વ્યક્તિપરિસ્થિતિ આદિ ઉપર મનને એકાગ્રતાપૂર્વકનું ચિંતન ધ્યાન કહેવાય છે. આપણે અત્યાર સુધી જોયું કે d_k geAl$ dpMb S>d h sa સમાધિતંત્ર ગાથા રૂપમાં જણાવેલ છે કે, “જેનું મનરૂપી જલ રાગદ્વેષાદિ તરંગોથી ચંચલ થતું નથી, તે આત્માના યથાર્થ સ્વરૂપને દેખે છે – અનુભવે છે, તે આત્મતત્વને બીજો માણસ રાગદ્વેષાદિથી આકુલિત ચિત્તવાળો (મનવાળો) માણસ દેખી શક્તો નથી.” અર્થાત્ સમ્યગ્દર્શનનો વિષય તે પણ મન થકી જ ચિંતન થાય છે અને અતિન્દ્રિય સ્વાનુભૂતિ કાળે પણ તે ભાવમન જ અતિન્દ્રિય જ્ઞાનરૂપ પરિણમે છે. તેથી કરીને મન ક્યા વિષય ઉપર ચિંતન કરે છે અથવા મન કયા વિષયોમાં એકાગ્રતા કરે છે તેના ઉપર જ બંધ અને મોક્ષનો આધાર છે. જેમ કે પરમાત્મપ્રકાશ-મોક્ષાધિકાર ગાથા ૧૪૦માં જણાવેલ છે કે, “પાંચ ઇન્દ્રિયોના સ્વામી મનને તમે વશમાં કરો, તે મનના વશ થવાથી તે પાંચ ઇન્દ્રિઓ વશમાં થઈ જાય છે. જેમ કે વૃક્ષના મૂળનો નાશ થતાં પાંદડાં નિશ્ચયથી સુકાઈ જાય છે. અર્થાત્ મન જ બંધનું કારણ છે અને મન જ મુક્તિનું કારણ છે. આ વાત કોઈએ એકાંતે ન સમજવી, આ વાત અપેક્ષાએ કહેવામાં આવી છે; કારણ કે જે મન છે તે જ સમ્યગ્દર્શનનું નિમિત્ત કારણ છે અને બંધનું પણ નિમિત્ત કારણ છે એ અપેક્ષાએ વિવેકપૂર્વક આ વાત કહેવામાં આવી છે. જેમ કે પરમાત્મપ્રકાશ-મોક્ષાધિકાર ગાથા ૧૫૭માં જણાવેલ છે કે, “જેઓએ મનને શીધ્ર જ વશમાં કરીને પોતાના આત્માને પરમાત્મામાં ન મેળવ્યો (અર્થાત્ સ્વાત્માનુભૂતિ ન કરી), હે શિષ્ય ! જેઓની આવી શક્તિ નથી, તે યોગથી શું કરી શકે (અર્થાત્ તેવા જીવો અધ્યાત્મયોગથી સ્વાત્માનુભૂતિરૂપ ફાયદો લઈ શકતાં નથી.) ?” આ રીતે મોક્ષમાર્ગમાં મનનું ખૂબ જ મહત્ત્વ હોવાથી ઘણાં ગ્રંથોમાં ધ્યાન વિશે ઘણું બધું જણાવવામાં આવ્યું છે, પરંતુ અત્રે તેનો માત્ર થોડોક ઉલ્લેખ કરીને આપણે આગળ વધીશું. ધ્યાન શુભ, અશુભ અને શુદ્ધરૂપ ત્રણ પ્રકારે હોય છે, તેના ચાર પ્રકાર છે : આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન. આ ચાર પ્રકારના પણ પેટા પ્રકારો છે. મિથ્યાત્વી જીવોને
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy