________________
૧૩૦
સમ્યગ્દર્શનની રીત
હોવા છતાં અર્થાત્ આત્મા અશુદ્ધરૂપે પરિણમેલ હોવા છતાં), ઉત્તમ પુરુષોના હૃદયકમળમાં (અર્થાત્ મનમાં) કારણઆત્મા વિરાજે છે (અર્થાત્ પરમ પારિણામિક ભાવરૂપ કારણપરમાત્મા વિરાજે છે - લક્ષમાં રહે છે). પોતાથી ઉત્પન્ન એવા તે પરબ્રહ્મરૂપ સમયસારને – કે જેને તું ભજી રહ્યો છે (અર્થાત્ જેમાં તું ‘હુંપણું કરી રહ્યો છે, તેને, હે ભવ્યસાર્દૂલ (ભવ્યોત્તમ), તું શીધ્ર ભજ (માત્ર તેમાં જ ઉપયોગ રાખ), તું તે છે.” આચાર્ય ભગવંત કહે છે કે, “તું તે છે' અર્થાત્ તું માત્ર તેમાં જ હુંપણું (એકત્વ) કર, કે જે સમ્યગ્દર્શનનો વિષય છે અને તેનો જ અનુભવ થતાં સમ્યગ્દર્શન પ્રગટ થઈ જાય છે, તેથી કહે છે તું તે છે, આ જ સમ્યગ્દર્શનની રીત છે.
શ્લોક ૨૬ :- “જીવ–ક્વચિત્ સદ્ગણો સહિત વિલસે છે - દેખાય છે, ક્વચિત્ અશુદ્ધરૂપ ગુણો સહિત વિલસે છે (અર્થાત્ કોઈ જીવ પ્રગટ ગુણો સહિત જણાય છે અને કોઈના ગુણો અશુદ્ધરૂપે પરિણમેલ હોવાથી અશુદ્ધ ભાસે છે), ક્વચિત્ સહજ પર્યાયો સહિત વિલસે છે (અર્થાત્ કોઈ કાર્યસમયસારરૂપ પરિણમેલ હોય છે) અને ક્વચિત્ અશુદ્ધ પર્યાયો સહિત વિલસે છે (અર્થાત્ કોઈ જીવો સંસારમાં અશુદ્ધ પર્યાયો સહિત પરિણમેલા જણાય છે), આ બધાથી સહિત હોવા છતાં પણ (અર્થાત્ કોઈ પ્રગટભાવ શુદ્ધરૂપે છે અથવા કોઈ પ્રગટભાવ અશુદ્ધરૂપ હોવા છતાં, જે આ બધાથી રહિત છે (અર્થાત્ જે શુદ્ધ, અશુદ્ધ ભાવરૂપ જણાવેલ તમામ વિશેષભાવોથી રહિત છે અર્થાત્ ઔદેયિક, ઉપરામિક, ક્ષયોપથમિક અને ક્ષાયિકભાવોથી રહિત છે) એવા આ જીવત્વને (અર્થાત્ પરમ પરિણામિક ભાવરૂપ પરિણમતા શુદ્ધાત્મારૂપ કારણસમયસારને – કારણશુદ્ધ પર્યાયને) હું સકળ અર્થની સિદ્ધિ માટે સદા નમું છું, ભાવું છું. કારણ કે તે સમ્યગ્દર્શનનો વિષય છે અને તેથી તે ભાવમાં જ “હુંપણું કરતાં સમ્યગ્દર્શન પ્રગટે છે કે જેથી મોક્ષયાત્રાનો પ્રારંભ થાય છે અને કાળે કરી મોક્ષ થતાં જ સકળ અર્થની સિદ્ધિ થાય છે, આવો ભાવ આ ગાથામાં વ્યક્ત કરેલ છે.
શ્લોક ૩૦ :- “સકળ મોહરાગદ્વેષવાળો જે કોઈ પુરુષ પરમગુરુના ચરણકમળયુગલની સેવાના પ્રસાદથી (અર્થાત્ પરમગુરુ પાસેથી તત્ત્વ સમજીને) નિર્વિલ્પ સહજ સમયસારને (અર્થાત્ પરમ પારિણામિક ભાવરૂપ કારણસમયસારને) જાણે છે, તે પુરુષ પરમશ્રીરૂપી સુંદરીનો પ્રિયકાંત થાય છે.” અર્થાત્ આ કાળે આ નિર્વિકલ્પ સહજ સમયસારને જાણવાવાળાને પરમગુરુ કહ્યાં છે, કારણ કે આ કાળે સમ્યગ્દર્શનયુક્ત જીવો બહુ જ જૂજ હોય છે અને તેવા પરમગુરુના કહ્યા અનુસાર નિર્વિલ્પ સહજ સમયસારને જે જાણે છે અર્થાત્ અનુભવે છે તે સમ્યગ્દર્શનયુક્ત થઈને નિયમથી મુક્ત થાય છે.
લોક ૩૪ :- “(અમારા આત્મસ્વભાવમાં) વિભાવ અસ હોવાથી (અર્થાત્ અત્યારે ભલે અમારા આત્મામાં દેવિકભાવરૂપ વિભાવ હોય પરંતુ તે ક્ષણિક છે, તે ત્રણે કાળે રહેવાવાળો નથી, તેથી અસત્ છે) તેની અમને ચિંતા નથી; અમે તો હૃદયકમળમાં સ્થિત (અર્થાત્ મનમાં જે શુદ્ધ દ્રવ્યાર્થિક નયના