SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ સમ્યગ્દર્શનની રીત છે (અર્થાત્ પરદ્રવ્યોથી અલગ દર્શાવ્યો છે) તથા જેણે સમસ્ત વિશેષોના સમૂહને સામાન્યની અંદર મગ્ન કર્યો છે (દ્વિતીય ભેદજ્ઞાન) (અર્થાત્ સમસ્ત પર્યાયોને દ્રવ્યની અંદર ડૂબી ગયેલા દર્શાવ્યા છે) એવો જે આ, ઉદ્ધત મોહની લક્ષ્મીને (-ઋદ્ધિને, શોભાને) લૂંટી લેનારો શુદ્ધનય (અર્થાત્ શુદ્ધોપયોગ અર્થાત્ સમ્યગ્દર્શન = સ્વાત્માનુભૂતિ), તેણે ઉત્કટ વિવેક વડે તત્ત્વને (આત્મસ્વરૂપને) વિવક્ત (પ્રગટ) કર્યું છે.” અર્થાત્ સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે. ગાથા ૨૪૦: ટીકા:- “જે પુરુષ અનેકાંતકેતન (-અનેકાંતયુક્ત) આગમજ્ઞાનના બળથી, સકળ પદાર્થોના જોયાકારો સાથે મિલિત થતું વિશદ એક જ્ઞાન (શેયાકારો અર્થાત્ જ્ઞાનાકારો કે જે જ્ઞાનના જ બનેલ હોવાથી તે આકારોને ગૌણ કરતાં જ જ્ઞાન સામાન્યમાત્ર શુદ્ધાત્મા’ કે જે સમ્યગ્દર્શનનો વિષય છે તે જ પ્રાપ્ત થાય છે, જેનો આકાર છે એવા આત્માને (‘શુદ્ધાત્મા'ને) શ્રદ્ધાંતો અને અનુભવતો થકો (અર્થાત્ શ્રદ્ધાનો અને અનુભવનો વિષય એક જ છે), આત્મામાં જ નિત્યનિશ્ચળ વૃત્તિને ઈચ્છતો થકો,....” અને સમ્યગ્દર્શનપ્રાપ્તિની વિધિ જણાવેલ છે.
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy