________________
૧૨૫
૨૭
સ્વ-પર વિષયનો ઉપયોગ કરવાવાળો પણ આત્મજ્ઞાની હોય
પંચાધ્યાયી ઉત્તરાર્ધની ગાથાઓ
ગાથા ૮૪૫ : અન્વયાર્થ:- ‘‘તે ક્ષયોપશમિક જ્ઞાનનું વિકલ્પપણું (અર્થાત્ પરપદાર્થને જાણવારૂપ ઉપયોગ) જ્ઞાનચેતનાનું બાધક કારણ થઈ શકતું નથી. (અર્થાત્ જો કોઈ એમ માનતાં હોય કે જીવ પરને જાણે છે એમ માનતાં મિથ્યાત્વી થઈ જવાય છે અથવા જીવ પરને જાણે છે એમ માનતાં સમ્યગ્દર્શનને બાધ થાય છે અર્થાત્ સમ્યગ્દર્શન થતું નથી, તો અત્રે સમજાવે છે કે જ્ઞાનનું પરને જાણવું તે સમ્યગ્દર્શન માટે બાધક કારણ નથી), કારણ કે જે ગુણનો જે પર્યાય થાય છે તે કથંચિત્ તરૂપ (તે ગુણરૂપ) જ થાય છે તેથી ક્ષયોપશમિક જ્ઞાનનો વિકલ્પ જ્ઞાનચેતનારૂપ શુદ્ધ જ્ઞાનનો વેરી નથી.’’
=
જ
અર્થાત્ જ્યારે જ્ઞાન પરને જાણે છે ત્યારે તે જ્ઞાનગુણ પોતે જ તે આકારે થતો હોવા છતાં, તે પોતાનું સ્વતઃસિદ્ધ અર્થાત્ ધ્રુવરૂપ અર્થાત્ જ્ઞાનપણું છોડતો નથી અને તેથી જ તે પરને જાણવારૂપ જ્ઞાનગુણનું પરિણમન જ્ઞાનસામાન્યરૂપ જ્ઞાનચેતનાનો (શુદ્ધ જ્ઞાનનો) વેરી નથી, બાધક નથી, એમ સમજીને આવો ડર હોય તો જરૂર કાઢી નાંખવો આવશ્યક છે; આ જ વાત આગળ દઢ કરાવે છે.
ગાથા ૮૫૮ : અન્વયાર્થ :- “જ્ઞાનોપયોગના સ્વભાવનો મહિમા જ કોઈ એવો છે કે તે (જ્ઞાનોપયોગ) પ્રદીપની માફક સ્વ તથા પર બન્નેના આકારનો એકસાથ પ્રકાશક છે.’’ આ ગાથામાં જ્ઞાનનો સ્વ-પર પ્રકાશક સ્વભાવ દર્શાવેલ છે અને તેને જ જ્ઞાનનો મહિમા પણ જણાવેલ છે.
જ
ગાથા ૮૬૦ : અન્વયાર્થ :- ‘“જે સ્વાત્મોપયોગી જ છે તે જ નિશ્ચયથી ઉપયુક્ત છે એવું નથી (અર્થાત્ જે માત્ર સ્વઉપયોગી છે તે જ સમ્યગ્દષ્ટિ છે એવું નથી) તથા જે પરપદાર્થોપયોગી છે તે જ નિશ્ચયથી ઉપયુક્ત છે એવું નથી (અર્થાત્ જે માત્ર પરને જાણે છે તે જ સમ્યગ્દષ્ટિ છે એવું પણ નથી), પરંતુ ઉભય (બન્ને) વિષયને વિષય કરવાવાળો જ (જાણવાવાળો જ) ઉપયુક્ત અર્થાત્ ઉપયોગ કરવાવાળો હોય છે એવો નિયમ છે, એ પ્રમાણે ક્રિયાનો અધ્યાહાર કરવો જોઈએ.'' અર્થાત્ સમ્યક્શાન સ્વ-પરના જ્ઞાન અને વિવેકસહિત જ હોય છે, અન્યથા નહિ.