________________
૧૨ ૨
સમ્યગ્દર્શનની રીત
૨૫
શુભૌપયોગ નિર્જરાનું કારણ નથી
પંચાધ્યાયી ઉત્તરાર્ધની ગાથા :
ગાથા ૭૬ર : અન્વયાર્થ:- “બુદ્ધિની મંદતાથી આવી પણ આશંકા ન કરવી કે શુભોપયોગ, એક દેશથી પણ નિર્જરાનું કારણ થાય છે; કારણ કે શુભ ઉપયોગ, અશુભને લાવનાર હોવાથી (અર્થાત્ જેઓ શુભ ઉપયોગમાં ધર્મ સમજે છે અને શુભ ઉપયોગથી પણ નિર્જરા માને છે એવો એક વર્ગ જૈન સમાજમાં છે, તેઓને અત્રે સમાવેલ છે કે સ્વાત્માનુભૂતિરૂપ નિશ્ચય સમ્યગ્દર્શન વિનાનો શુભ ઉપયોગ નિયમથી આત્મામાં અલ્પ શુભની સાથે સાથે મોહનીયાદિ ઘાતી કર્મોનો આસ્રવ પણ કરાવે છે અને તે મોહનીયાદિ ઘાતી કર્મો નિયમથી જીવને દુઃખના કરનારા છે, અર્થાત્ અશુભને લાવનારા છે અર્થાત્ શુભ ઉપયોગ જીવને સંસારથી મુક્ત કરાવતો નથી એમ સમજાવવું છે. પરંતુ અત્રે શુભ ઉપયોગનો નિષેધ ન સમજવો, નહિ તો લોકો સ્વચ્છેદે અશુભ જ આચરશે; અત્રે ઉદ્દેશ શુભ છોડાવી, અશુભમાં લઈ જવાનો નથી, પરંતુ નિર્જરા માત્ર શુદ્ધ ઉપયોગથી જ થાય છે તેમ જણાવવું છે અને તેથી જણાવેલ છે કે શુભ ઉપયોગ) તે નિર્જરાનો હેતુ થઈ શકતો નથી તથા ન તો તે શુભ પણ કહી શકાય છે.”
એટલા માટે શુભ ઉપયોગથી નિર્જરા ન સમજવી અને આ ગાથાથી શુભનો નિષેધ પણ ન સમજવો અર્થાત્ શુભ ઉપયોગ તે શુદ્ધ ઉપયોગનું (નિર્જરાનું) કારણ નથી, પરંતુ તે શુભ ઉપયોગ શુભ ભાવોનું (અર્થાત્ વીતરાગ દેવ-ગુરુ-શાસ્ત્રના સંયોગનું) કારણ અવશ્ય છે તેથી એકમાત્ર આત્માના લક્ષે અર્થાત્ આત્માની પ્રાપ્તિના અર્થે (સમ્યગ્દર્શન માટે) જે યોગ્યતાપ શુભ ઉપયોગ છે તે અપેક્ષાએ આચરવા યોગ્ય છે, કારણ કે જીવને અશુભ ઉપયોગમાં રહેવાનો ઉપદેશ તો કોઈ જ શાસ્ત્ર આપતા નથી અને તેથી કરીને પુણ્ય(શુભ)ને હેય સમજીને સ્વચ્છેદે કોઈ અશુભ ઉપયોગ રૂપે પરિણમતો હોય, તો તે પોતાના અનંત સંસારને વધારવાનો જ ઉપાય આચરી રહેલ છે, એમ સમજવું.
અત્રે શુભ ઉપયોગને નિર્જરાનું કારણ માનેલ નથી, કારણ કે ગુણશ્રેણી નિર્જરાનું એકમાત્ર કારણ શુદ્ધોપયોગ જ છે, તે અપેક્ષાએ શુભ ઉપયોગ (પુણ્ય) હેય છે, પરંતુ કોઈ સ્વચ્છેદે અન્યથા સમજીને જો