________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
૧૨૧
3 જ્યારે પણ સમય મળે નમસ્કાર મંત્રનું સ્મરણ કરતાં રહેવું અને આપણે પણ ભગવાન બનવાનું છે
એ વાતનું સ્મરણ રાખવું/કરવું. 0 નિરંતર સત્સંગ ઈચ્છવો, અંતર્મુખી રહેવું અને પોતાના દોષો જોતા રહેવા અને તે દોષોને કાઢી
નાખવાનો (Delete કરવાનો) પુરુષાર્થ કરતા રહેવું વગેરે એકમાત્ર આત્મપ્રાપ્તિના લક્ષ્યપૂર્વક કરવું આવશ્યક છે. વિદ્વજનો માટે પણ મોહનો પરાભવ કરવો મહાદુષ્કર હોય છે, કેમ કે કોરી (યોગ્યતા વગરની) વિદ્વત્તા મોહને પરાભૂત કરવા માટે કાર્યકારી (સક્ષમ) નથી હોતી. મોહને પરાભૂત કરવા માટે જેટલો વૈરાગ્ય અને ઉપર કહ્યા પ્રમાણેની અન્ય યોગ્યતા આવશ્યક છે તેટલી વિદ્વત્તાની આવશ્યકતા (જરૂરિયાતો નથી, ઊલટું ક્યારેક વિદ્વત્તા કષાયને (ક્રોધ-માન-માયાલોભને) જન્મ આપવાવાળી અથવા તેને વધારવાવાળી બની જાય છે, તેથી સદૈવ સાવધાન રહેવું આવશ્યક છે.
૨