________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
૧૧૯
પછી ચારિત્રમોહનીય કર્મ ક્રમશઃ જાય છે, ત્યારે પંચમાદિ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. અર્થાત્ બહારના
સંસારનો નાશ ક્રમશ: થાય છે. 3 સંસારના સર્વ સંબંધો સ્વાર્થ આધારિત હોવાથી અને તે ક્ષણિક પણ હોવાથી, એમાં આસક્તિ કરવા
જેવી નથી, પરંતુ આપણે જે પણ કર્તવ્ય હોય તે પૂરી નિષ્ઠાથી નિભાવવું, એમાં કાંઈ પણ કચાશ નથી રાખવાની. શરીર અશુચિઓથી ભરેલું છે, એને કેટલી પણ વાર સ્નાન કરાવવા છતાં ત્વરાથી અશુદ્ધ થાય છે. અને શરીરમાં કરોડો રોગો ભરેલા છે, તે ક્યારે ઉદયમાં આવી જશે તે પણ ખબર નથી. ધોયેલાં કપડાંને એક વાર પણ શરીર પર ધારણ કરતાં જ, કપડાં અશુદ્ધિયુક્ત થઈ જાય છે. આવા શરીરનો મોહ કરવા જેવો નથી. સંસાર આધિ-વ્યાધિ-ઉપાધિથી ભરેલો છે. સંસારમાં ક્યાંય પણ સુખ ન હોવા છતાં સુખ ભાસે છે, તે સુખાભાસ માત્ર છે અને તે ક્ષણિક પણ છે; પરંતુ તે સાચું સુખ નથી. જ્યાં સુધી મોહમંદ નથી થતો ત્યાં સુધી આ વાત સમજમાં નથી આવતી, તેથી જેને સંસારમાં સુખ ભાસે છે તેણે ઉપર કહ્યા મુજબના ઉપાયોથી મોહમંદ કરવો અતિ આવશ્યક છે. મનુષ્યભવ અતિ દુર્લભ છે, તેમાં પણ પૂર્ણ ઇન્દ્રિયો, લાંબું આયુષ્ય, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, સત્ય ધર્મ, શ્રદ્ધા, વગેરે એક એક્શી અતિ દુર્લભ છે. તેને પામ્યા પછી જે તેનો આપણે ઉચિત ઉપયોગ ન કરી શકીએ, તો પણ અંતતોગત્વા (પરંપરાએ) એકેન્દ્રિયમાં જવાથી કોઈ બચાવી નહીં શકે. પછી એકેન્દ્રિયમાંથી નીકળવું ચિંતામણિરત્નની પ્રાપ્તિથી પણ અધિક દુર્લભ બતાવવામાં આવ્યું છે. Daily Progress એટલે કે રોજ પ્રગતિ: જે આપણે દરરોજ આંતરિક-આધ્યાત્મિક પ્રગતિ કરી ન શકીએ તો આપણું આધ્યાત્મિક પતન નિશ્ચિત જ છે. કેમ કે આપણા ભાવ સ્થિર નથી રહેતા,
જો તે વૃદ્ધિગત (ચડતાં) ન થાય તો અવશ્ય ઊતરતા (પડતાં) થશે. 1 જીવના અનંત સંસારમાં ડૂબવાના પ્રાયઃ નિમ્ન સ્થાન છે : વિષય-કષાય, આરંભ-સમારંભ,
અહમ્મમ (હું-મારું), તૃત્વપણું, નિમિત્તાધીનતા, ઈર્ષા-નિંદા-દંભ વગેરે, શરીર-ધન-કામભોગ વગેરે, આર્તધ્યાન-રૌદ્રધ્યાન, પ્રાપ્તમાં આસક્તિ - અપ્રાપ્તની ઝંખના, તત્ત્વનો વિપરીત નિર્ણય, વગેરે; તેથી આ બધાથી બચવાનો પુરુષાર્થ કરવો આવશ્યક છે. જીવની પાસે અનંતકાળ રહેવાની માત્ર બે જ જગ્યા છે – એક, નિગોદ અને બીજું, સિદ્ધત્વ. અર્થાત્ દરેક જીવ પાસે બે જ વિકલ્પ છે – જો તે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને સિદ્ધત્વનું આરક્ષણ નથી કરાવી લેતો નિયમથી તે બીજા વિકલ્પરૂપે કાળક્રમે નિગોદ પ્રાપ્ત કરે છે. નિગોદ By Default અર્થાત્ વગર કોઈ પ્રયત્ન આપોઆપ મળે છે, પરંતુ સિદ્ધત્વની પ્રાપ્તિ માટે પૂર્વે જણાવેલ પ્રયત્નો અર્થાત્