________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
૧૧૭
પોતાને સત્ય ધર્મ અનુકૂળ બદલવાથી, પોતાના સત્તામાં રહેલાં કર્મો ઉપર અનેક પ્રક્રિયા થવાની શરૂઆત થઈ જાય છે. જેમ કે, પાપપ્રકૃતિનું પુણ્યપ્રકૃતિમાં સંક્રમણ, પુણ્યનું ઉદ્વર્તન, પાપનું
અપવર્તન, વગેરે; તેથી ઘણી વાતોમાં શૂળીનો ઘા (ફાંસીની સજા) સોયથી સરી જાય છે. 1 આવી રીતે ફાંસીની સજા સોયમાં બદલાઈ જતી હોવા છતાં આપણને તેનું જ્ઞાન ન હોવાથી, લોકો
ક્યારેક એવું પણ વિચારે છે કે, જુઓ આ ધર્મ જીવ હોવા છતાં કેટલો દુઃખી છે? પરંતુ તેઓને ખબર નથી કે, સાચો ધર્મી જીવ હવે હલકી ગતિઓમાં જવાનો જ ન હોવાથી, એ ગતિને લાયક પાપકર્મોનું સંક્રમણ થઈને અત્યારે ઉદયમાં આવ્યા છે, તે કારણે લોકોને ક્યારેક લાગે છે કે, આ ધર્મી જીવ હોવા છતાં કેટલો દુઃખી છે! આવાં દુઃખના સંયોગોમાં જીવ જો ઉપર કહ્યા પ્રમાણે ધન્યવાદ ! સુસ્વાગતમ! (Thank you ! Welcome !) નો ભાવ લાવવાનો પુરુષાર્થ કરે છે, ત્યારે તે જીવ દુ:ખમાં પણ સુખી રહી શકે છે. લોકોને લાગશે કે આ જીવ ઘણો દુઃખી છે, પરંતુ તે જીવ ધન્યવાદ! સુસ્વાગતમ! (Thank you ! Welcome !) અને જે પણ થાય છે તે સારા માટે જ થાય છે'ના માધ્યમથી સમાધાની અને સમભાવી બનીને શાંત અને પ્રસન્ન રહેતો હશે. આપણે અનાદિથી આજ સુધી અનંતી વાર દીક્ષા ગ્રહણ કરી, અનંતી વાર વ્રત-તપ વગેરે કર્યા, અનંતી વાર ધ્યાન વગેરે કર્યા, અનંતી વાર હું આત્મા છું અથવા હું શુદ્ધાત્મા છું અથવા અહમ્ બ્રહ્માસ્મિ અથવા તત્ત્વમસિ વગેરે જાપ કર્યા કે ગોખ્યું, પરંતુ સત્યની પ્રાપ્તિ અર્થાત્ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઈ. કારણ કે જ્યાં સુધી આત્મા યોગ્યતાની પ્રાપ્તિ નથી કરતો ત્યાં સુધી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. અર્થાત્ પહેલા આપણે પોતાના આત્માને મોહના તાવથી બચાવવાનો છે, તેથી જ ભગવાને કહ્યું છે કે ઘણી વાર અનેક જીવો નવ પૂર્વના પાઠી (અભ્યાસુ) થયા છતાં સમ્યગ્દર્શન પામી શક્યા નથી. તે મોહના તાવને માપવા માટે એક માપદંડ છે આ પ્રશ્ન : આપણને શું ગમે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં જ્યાં સુધી સાંસારિક વસ્તુ કે સંબંધ કે ઈચ્છા કે આકાંક્ષા છે ત્યાં સુધી આપણે સમજવાનું કે આપણને મોહનો બહુ તેજ તાવ છે અને તે તાવનો ઉપર કહ્યા મુજબ
ઈલાજ કરવો આવશ્યક છે. 7 આપણે અનાદિથી આજ સુધી અનંતી વાર દીક્ષા ગ્રહણ કરી, અનંતી વાર વ્રત-તપ વગેરે કર્યા,
અનંતી વાર ધ્યાન વગેરે કર્યા, અનંતી વાર હું આત્મા છું અથવા હું શુદ્ધાત્મા છું અથવા અહમ્ બ્રહ્માસ્મિ અથવા તત્ત્વમસિ વગેરે જાપ કર્યા કે ગોખ્યું, પરંતુ સત્યની પ્રાપ્તિ અર્થાત્ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઈ. કારણ કે આ તમામ હઠયોગ કહેવાય છે અને સત્ય ધર્મ ઉપર કહ્યા મુજબના ઉપચારથી (રાજયોગથી-સહયોગથી), સહજ જ પ્રાપ્ત થાય છે, નહીં કે હઠયોગથી.