________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
૧૧૫
પ્રતિક્રિયામાં (Reaction માં) લગાવવાને બદલે પોતાનું ભવિષ્ય સુધારવામાં (Action માં) જ
લગાવવો જોઈએ. T મને તમામ સંયોગ કર્મ (પુણ્ય/પા૫) અનુસાર જ મળવાના છે અને કર્મ (પુણ્ય/પા૫) અનુસાર
જ ટકવાના છે, તો હરખ કે શોક શા માટે ? T કોઈ પણ મને દુઃખ દે છે, એના માટે દોષ મારાં પૂર્વ પાપકમનો છે અર્થાત્ મારા પૂર્વનાં દુષ્કૃત્યોનો
જ દોષ છે. તે દુષ્કૃત્યો માટે મનમાં માફી માગવી. T બીજાને દોષિત ન જેવાં, તે માત્ર નિમિત્તરૂપ જ છે.
બીજાઓને આપણાં પૂર્વ પાપકર્મોથી છોડાવવાળાં સમજીને ઉપકારી માનવા અને મનમાં ધન્યવાદ
આપવો, જેનાથી એના પર ગુસ્સો નહીં આવે (થાય). 1 જે કોઈ આપણાં ઘરનો કચરો સાફ કરી આપે, તો આપણે એને જરૂર ઉપકાર માનીએ છીએ. એવી
જ રીતે જ્યારે કોઈ આપણા આત્માનો કચરો (કર્મ) સાફ કરી આપે છે, ત્યારે તેને પણ ઉપકારી માનવો આવશ્યક છે. આવી રીતે ધન્યવાદ! સુસ્વાગતમ! (Thank you ! Welcome !) કરીને આત્માનો ફાયદો કરતા રહેવાનો છે. તેથી પોતે જ્યાં પણ હશે ત્યાં તેને કોઈની માટે ફરિયાદ નહીં રહે. (No complain
Zone) S No Complain Zone એટલે મારે કોઈ ફરિયાદ નથી કરવાની, કારણ કે વર્તમાનમાં મારી સાથે જે
પણ થઈ રહ્યું છે તે મારા ભૂતકાળનાં કર્મોનું જ ફળ છે. તેથી જો મારે કોઈની પણ સામે ફરિયાદ કરવી હોય તો હું પોતે જ છું, બીજું કોઈ નહીં; તો હું કોને અને કેમ ફરિયાદ કરું ? લોકમાં સર્વ જીવ વિશેના પોતાના ભાવો મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ – આ ચાર પ્રકારમાં જ વર્ગીકૃત કરવાં, અન્યથા તે મને બંધનનું જ કારણ બનશે. આપણી સૌથી મોટી ખોટ એ છે કે આપણે હંમેશાં બીજાને જ બદલીને પોતાને અનુકૂળ બનાવવામાં
લાગેલા રહીએ છીએ, જેમાં સફળતા મળવી અત્યંત કઠિન (મુશ્કેલ) છે. G પોતાને બદલવા સૌથી સરળ હોવા છતાં, એના માટે આપણે ક્યારેય પ્રયાસ પણ નથી કરતા. પોતાને
ધર્મને અનુકૂળ બદલવા, આ સમ્યગ્દર્શનની યોગ્યતા (પાત્રતા પ્રાપ્ત કરવા માટે અનિવાર્ય છે. 3 અનાદિથી આપણે જગત ઉપર આપણો હુકમ ચલાવવા જ ઈર્યું છે, જગતને પોતાની અનુકૂળ
પરિવર્તિત કરવા જ ઈર્યું છે. તમામ મારા પ્રમાણે ચાલે અને હું કહું એમ બદલાય આ જ ઈર્યું છે. પરંતુ આપણે ક્યારેય પોતાને ભગવાનના કહ્યા (આશા) અનુસાર પરિણમવા નથી વિચાર્યું. પરંતુ આપણે અનાદિથી આપણી મતિ અનુસાર જ પરિણમ્યા છીએ, આ જ સ્વચ્છંદતા છે.