________________
૧૧૪
સમ્યગ્દર્શનની રીત
તે ધર્મમાં અવશ્ય કાંઈક ખામી/ગુટી અવશ્ય છે. આ પ્રકારે મુમુક્ષુને એકમાત્ર નિજ કલ્યાણનું જ લક્ષ્ય હોવું જોઈએ નહીં કે કોઈ મત, પંથ, સંપ્રદાય કે વ્યક્તિવિશેષની પાલખી ઉપાડવાનું કે એનો પ્રચાર-પ્રસારવિસ્તાર કરવાનું કે જેનાથી પોતાના સંસારનો અંત થઈ નહીં શકે. મુમુક્ષુએ ઉપર જણાવેલ માર્ગ પર પ્રયોગાત્મક રીતે અને ખુલ્લા મનથી આગળ વધતા રહેવું જોઈએ અને પોતાના વિચાર-વાણી-વર્તનનું ઝીણવટથી અવલોકન કરતાં રહેવું જોઈએ, તેમાં શું બદલાવ આવી રહ્યો છે તે પણ નિરીક્ષણ કરતાં રહેવું જોઈએ. એકમાત્ર આત્મપ્રાપ્તિના લક્ષ્ય બાર ભાવના, ચાર ભાવના, ધન્યવાદ ! સુસ્વાગતમ! (Thank you ! Welcome !) નો ભાવ, વગેરેથી મનમાંથી સંસારને બાળી નાખવાનો છે અને એ અવલોકન કરતાં રહેવાનું છે કે શું પોતાની ઈચ્છાઓ ઓછી થઈ ? શું પોતાના રાગ-દ્વેષ ઓછા થયા ? આ જ ધર્મસ્વરૂપ ભાવનાનું ફળ છે. અમે આ જ પ્રકારે સત્યની પ્રાપ્તિ અને અનુભૂતિ પામ્યા છીએ તેથી જ અમે ઈચ્છીએ છીએ કે આપ પણ આ જ રીતે સત્યની પ્રાપ્તિ અને અનુભૂતિ કરીને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરો.
સત્ય ધર્મનું સ્વરૂપ શું છે ? અર્થાત્ સત્ય ધર્મ કોને કહે છે, તે (સમ્યગ્દર્શન) કેવી રીતે પ્રાપ્ત કરી શકાય અને તેના માટે શું યોગ્યતા હોવી જોઈએ, વગેરે માટે જ આ પુસ્તક લખાઈ રહ્યું છે. અર્થાત્ આ ભાવનાનું મહત્ત્વ અપૂર્વ છે એમ સમજીને ત્વરાએ સત્ય ધર્મનું (સમ્યગ્દર્શનનું) સ્વરૂપ સમજીને અને એનો અનુભવ કરીને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરો, એ જ આ ભાવનાનું ફળ છે.
ઉપરોક્ત યોગ્યતાના વિષયમાં અમુક સર્વાધિક મહત્ત્વપૂર્ણ બિંદુઓ સંક્ષેપરૂપમાં મનન કરવાના માટે અત્રે પ્રસ્તુત કરીએ છીએ.
અહીંયા માત્ર આપવા માટે જ આવ્યો છું, કોઈ પણ શરત અને કોઈ પણ અપેક્ષા વગર. J જે પણ થાય છે તે સારા માટે જ થાય છે.
મારે મારી ફરજ પૂર્ણ રૂપથી અદા કરવાની છે, પરંતુ બીજાઓથી એવી અપેક્ષા નથી રાખવાની. મારે પોતે, પોતાને બદલવાનો છે આ જ એકમાત્ર ધર્મની યોગ્યતા પામવાનો પુરુષાર્થ છે; બીજાઓને બદલવાનો પ્રયત્ન વ્યર્થ છે. બીજાઓને એમના સારા માટે પ્રેરણા આપી શકાય છે, પરંતુ આગ્રહ કે
દબાણ ક્યારેય ન કરાય. 1 વર્તમાન ઉદયને અર્થાત્ સંયોગને બદલવાનો પ્રયાસ ન કરતાં, તેનો સ્વીકાર કરવામાં જ સમજદારી
છે, શાંતિ છે. 1 વર્તમાનનો સ્વીકાર કરીને, પોતાનો પુરુષાર્થ એકમાત્ર આત્મપ્રાપ્તિના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં
લગાવવો. કારણ કે વર્તમાન ઉદય અર્થાત્ સંયોગ આપણા હાથની વાત નથી, પરંતુ ભવિષ્ય આપણા હાથમાં છે અર્થાત્ આપણે આપણા ભવિષ્યને બનાવી શકીએ છીએ. તેથી આપણે આપણો પુરુષાર્થ