________________
આસ્થા અને વિશ્વાસનું બળ
આકાશમાં વિમાનને હેરત પમાડે એવી રીતે ઘુમાવનાર રશિયાનો પ્રસિદ્ધ કલાબાજ ઓોવ એવા એવા આકાશી ખેલ કરતો કે એને જોનારા એની કલા અને કોવત પર વારી જતા. એની હિંમત અને સાહસિકતા પર સમગ્ર દેશ ગોરવ અનુભવતો હતો. પરંતુ એક વાર એનું વિમાન એક ટેકરી સાથે જોરથી અઘડાયું અને પછી નીચે ફંગોળાતું ફંગોળાતું ભંગારમાં પરિવર્તિત થઈ ગયું. ઓચૈવ ગંભીર રીતે થાયલ વર્ષો અને ડૉક્ટરે ઑપરેશન કરીને એના બે પગ પણ કાપી નાખ્યા.
કપરી સ્થિતિથી ઓચ્ચેવ લેશમાત્ર હિંમત હાર્યો નહીં. એણે કહ્યું, ‘તમે જરૂર મને વિમાન ઉડાડતો જોઈ શકશો. હકીકતમાં તો હું વિમાનમાં ઊડવાને માટે તો જીવતો રહ્યો છું, નહીંતર તો ક્યારનોય મરી ગયો હોત.'
એ પછી ઘણો સમય પસાર થઈ ગયો. એના મિત્રો અને સ્વજનો તો પોતપોતાનાં કામમાં ડૂબી ગયા અને બીજી બાજુ ઓન્ચેવે પોતાના કાપી નાખેલા પગ પર કૃત્રિમ પગ લગાડ્યા અને રાતદિવસ એ કૃત્રિમ પગથી ચાલવાની મહેનત કરવા લાગ્યો. જ્યારે લોકોને ઓક્ષેત્રના ખ્વાબનો ખ્યાલ આવ્યો, ત્યારે બધાએ કહ્યું, “આવી રીતે કૃત્રિમ પગથી તું ચાલીશ અને દોડીશ તો તો તારા પગ ખૂબ છોલાઈ જશે અને તારી ઈજા કરી તને પરેશાન કરવા લાગશે.’
આ સાંભળી ઓચ્ચેવ હસતાં હસતાં કહેતો, ‘મેં તમને પહેલાં જ કહ્યું છે કે હું વિમાન ઉડાડવા માટે જ જીવતો રહ્યો છું. હું મારી આસ્થા અને વિશ્વાસના બળ પર આકારામાં વિમાની ખેલ કરીશ.'
ધોડા દિવસો પછી ઔધૈવ કાકડી વિના ઝડપથી ચાલવાનો પ્રયાસ કરવા લાગ્યો અને એ પછી થોડે સમયે આકાશમાં પહેલાં જેવી કલાબાજી બતાવીને એણે સહુને મંત્રમુગ્ધ કરી દીધા. યુદ્ધમાં પણ એણે એની કલાબાજીથી દુશ્મનનાં વિમાનોના છક્કા છોડાવી નાખ્યા. ઓશેવે દઢ નિશ્ચયથી અસંભવને સંભવ કરી બતાવ્યું.
મંત્ર માનવતાનો 77