________________
મોજભરી છે આ જિંદગી અમેરિકાના એચ. જે. એન્ગલર્ટના જીવનમાં ધીરે ધીરે બીમારીઓ દેખા દેવા લાગી. એમનું બ્લડપ્રેશર વધી ગયું. ચિંતાઓથી ચિત્ત ઘેરાઈ ગયું. સતત કથળતા જતા સ્વાથ્ય અંગે ચિંતાતુર એચ. જે. એન્ગલર્ટ ડૉક્ટરની પાસે ગયા, ત્યારે ડૉક્ટરોએ પણ એમને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે જો આ પરિસ્થિતિ ચાલુ રહી, તો થોડા સમયમાં તમારા જીવનનો અંત પણ આવી શકે.
એચ. જે. એન્ગલર્ટ ઘેર આવ્યા. એમણે એમની વીમાની પૉલિસી જોઈ તો ખ્યાલ આવ્યો કે બધા હપતા ભરાઈ ગયા છે એટલે મનમાં થોડી નિરાંત થઈ.
એ પછી ચર્ચમાં ગયા. એકલા બેઠા અને ઈશ્વર પાસે પોતાની ભૂલોની ક્ષમા માગવા લાગ્યા. ક્ષમાયાચના કરતાં અને ભૂલો શોધવા જતાં પોતાની પાછલી જિંદગીનો આખો ચિતાર ખડો થયો. એમાંથી એ ખ્યાલ આવ્યો કે એમણે ભૂતકાળમાં કેટલા લોકોને દુઃખી કર્યા છે ! પોતાની પત્ની અને કુટુંબની કેવી અવગણના કરી છે. આ વિચારોથી એચ. જે. એન્ગલર્ટમાં હતાશા આવી. આમ ને આમ એકાદ અઠવાડિયું પસાર થઈ ગયું.
વળી વિચાર આવ્યો કે હજી એકાદ વર્ષ તો જીવવાનું છે તો પછી મારે શા માટે ખુશ રહેવાનો પ્રયત્ન ન કરવો. એમણે નક્કી કર્યું કે હવે આનંદભેર જીવવું છે અને સહુને આનંદ આપવો છે. બસ, પછી તો છાતી ટટ્ટાર કરી, ચહેરા પર હાસ્ય છલકાવીને એન્ગલર્ટ જીવવા લાગ્યા. ધીરે ધીરે એમનો માનસિક અભિગમ બદલાઈ ગયો. ‘થોડા જ સમયમાં મૃત્યુ પામવાનો છું' એમ વિચારી ભયભીત જીવન જીવનારા એન્ગલર્ટ હવે એમ વિચારવા લાગ્યા કે “હું મારી જિંદગી કેટલી મોજથી પસાર કરું
મંત્ર માનવતાનો.
' એ પછી બે વર્ષ બાદ એન્ગલર્ટ વિચારતા હતા કે જો મેં મારા વિચારો અને વલણો ન બદલ્યાં હોત, તો આજે હું કબરમાં સૂતો હોત.
50