________________
આત્મીયતાનું મૂલ્ય
પોલૅન્ડના પ્રસિદ્ધ દાર્શનિક ાયિંસ્કી મુશળધાર વરસાદની વચ્ચે જરૂરી કામસર બહાર નીકળ્યા હતા. એવામાં એકાએક ક્યાંકથી કૂતરો ધસી આવ્યો અને એના ભીના શરીરને ભારે પ્રેમથી ાયિંસ્કી સાથે ઘસવા લાગ્યો. ાયિંસ્કીએ પણ એના માથા પર વહાલથી હાથ મૂક્યો અને એને પ્રેમથી પંપાળ્યો.
બરાબર આ જ સમયે ાયિસ્ટીનો મિત્ર આવી પહોંચ્યો અને એ આ દશ્ય જોઈને ચકિત થઈ ગયો. ાયિંસ્કી કૂતરા સાથે ગેલ કરતા હતા અને કૂતરો એમની સાથે ઊછળકૂદ કરતો હતો, પરંતુ એમ કરવા જતાં વાયિસ્ટીનાં કપડાં મેલાં થતાં હતાં.
મિત્રાયિંસ્કીને જરા ખિન્ન અવાજે કહ્યું, 'અત્યારે આપણે જરૂરી કામથી બહાર જવાનું છે અને તમે આ કૃતરા સાથે રમત માંડીને બેઠા છો? એ તમારાં સુંદર વસ્ત્રોને કેટલાં મેલાં અને કાદવ-કીચડવાળાં કરી રહ્યો છે ! એને દૂર હટાવવાને બદલે તમે તો પ્રેમથી પાસે બોલાવો છો.'
તત્ત્વજ્ઞાની ાર્જિસ્કીએ કહ્યું, “દોસ્ત, જિંદગીમાં પહેલી વાર આ કૂતરો મને મળ્યો છે. અને મારા તરફ આટલી બધી આત્મીયતા દર્શાવે છે. જો મારાં કીમતી વસ્ત્રોના મોહમાં એને દૂર હટાવી દઉં, તો એની આત્મીયતાને કેટલો બધો આઘાત લાગે ! એના આવા પ્રેમ સામે આ કપડાંની કોઈ કિંમત નથી.' મિત્રે પ્રશ્ન કર્યો, ‘તમે જરૂરી કામસર નીકળ્યા છો. તમારાં આ કીમતી વસ્ત્રો મેલાં થઈ ગયાં. તમારા કામ અંગે કોઈની પાસે જશો, તો તેમને કેવું લાગશે ?'
ાયિસ્ટીએ હસીને કહ્યું, ‘અરે મિત્ર ! એ કામ તો ફરી થઈ શકશે, પરંતુ આવી આત્મીયતા ક્યાં ફરી મળવાની છે ? પ્રત્યેક પ્રાણી ભગવાનની કૃતિ છે. મંત્ર માનવતાનો એનામાં ઈશ્વરનો નિવાસ છે એમ માનીને એના તરફ સ્નેહ પ્રગટ કરવો જોઈએ,
36
સમજ્યો.'