________________
લાગણીનું અનોખું દાના રશિયાના વિખ્યાત નવલકથાકાર, ચિંતક, નાટકકાર અને માનવતાવાદી વિચારક લિયો નિકોલાયવિચ ટૉલ્સ્ટૉય દુષ્કાળગ્રસ્ત પ્રદેશમાંથી પસાર થઈ રહ્યા હતા. ચોપાસની પરિસ્થિતિ જોઈને એમનું કરુણાસભર હૃદય દ્રવી જતું હતું. એમને જોઈને ગરીબ લોકો એમની પાસે દોડી આવતા હતા અને મદદની માગણી કરતા હતા.
લિયો ટૉલ્સ્ટૉય પોતાની પાસે જે રકમ હતી, તે દાનમાં આપવા લાગ્યા. આવી રીતે મદદ આપતા તેઓ ઘણે દૂર નીકળી ગયા અને એવામાં એક દિવ્યાંગ વ્યક્તિએ એમને બૂમ પાડીને બોલાવ્યા.
આ દિવ્યાંગે પોતાની દુર્દશાની વાત કરી. દુષ્કાળના સમયમાં સશક્ત લોકો મુશ્કેલી અનુભવતા હોય, ત્યારે દિવ્યાંગો તો કેવી રીતે જીવન ગુજારતા હશે ? આ દિવ્યાંગની વાત સાંભળીને ટૉલ્સ્ટૉયના હૃદયમાં સહાનુભૂતિ જાગી અને એમણે એમનો હાથ ખિસ્સામાં નાખ્યો, પણ ખિસ્યું તો સાવ ખાલી થઈ ગયું હતું.
દુષ્કાળગ્રસ્તોને એમણે એમની ઇંટ અને પેન પણ દાનમાં આપી દીધી હતી. હવે એમની પાસે દાનમાં આપી શકાય એવું કશું રહ્યું નહોતું.
લિયો ટૉલ્સ્ટૉય એ દિવ્યાંગ પાસે ગયા. એના હાથ પર વહાલભર્યું ચુંબન કર્યું અને પછી પ્રેમથી એના ગળા પર હાથ મૂકીને કહ્યું, “અરે ભાઈ, હવે મારી પાસે એવું કશું રહ્યું નથી કે જે હું તને આપી શકું. માટે મને ક્ષમા કરજે.”
ટૉલ્સ્ટૉયના એ શબ્દો સાંભળીને એ દિવ્યાંગે લાગણીભર્યા અવાજે કહ્યું, ‘તમે જે 6 (6% વહાલસોયું ચુંબન અને પ્રેમાળ આલિંગન આપ્યું છે, એ આપવાની શક્તિ બહુ ઓછા કારગ છ લોકોમાં હોય છે. આને માટે હું જીવનભર તમારો આભારી રહીશ.” મંત્ર માનવતાનો
આવા લાગણીસભર શબ્દો સાંભળીને ટૉલ્સ્ટોયની આંખમાં આંસુ આવી ગયાં. 34